Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે અબજીબાપાશ્રીની વાતોની ૧૧૪ મી જયંતી ઉજવાશે

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર  – સહુ કોઈ ઓનલાઈન એકસાથે પારાયણની પૂર્ણાહુતિ કરી ગ્રંથની ઘરો ઘરો આરતી ઉતારશે.

– ગ્રંથનું ૯૯ વર્ષીય મહંત શ્રી આનંદપ્રિયદાસજી ના મુખે ૪૦ કલાકનું રેકોર્ડીગ કરીને સૌ સત્સંગી માટે તેયાર કરવામાં આવ્યું છે અને મંદિરની એપ ઉપર મૂકવામાં આવ્યું છે.

– ૭૦૦૦ થી વધુ શ્રી અબજીબાપાશ્રીની વાતો નું પઠન થશે. – ૧પ મહિલાઓ શુક્રવારે સળંગ સવાર થી સાંજ સુધી અંખડ ગ્રંથની પારાયણ ઘરે બેસીને કરશે. – બાપાશ્રીની વાતો સર્વના સંતાપ હરનારી છે – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ૮-પ-ર૦૨૦-શુક્રવાર-વૈશાખ વદ- એકમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ – મણિનગર ખાતે અબજીબાપાની વાતો ની ૧૧૪ મી જયંતી મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં રાત્રે ૮-૧પ થી ૯-૦૦ ઓનલાઈન તેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે. અને શ્રી અબજીબાપાની વાતોનું પૂજન કરીને આરતી ઉતારશે ત્યારે સત્સંગીઓ દેશ – વિદેશમાં પોતાના ઘરે ગ્રંથનું પૂજન કરીને આરતી ઉતારશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. ૪ મે થી કુમકુમ મંદિરના દરેક સત્સંગીઓ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવાનું શરુ કરી દીધું છે. જેની પૂર્ણાહુતિ શુક્વારે ઓનલાઈન સત્સંગ બાદ કરવામાં આવશે.

સત્સંગીઓ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરી શકે તે માટે મહંત શ્રી આનંદપ્રિયદાસજી ના મુખે ૪૦ કલાકનું રેકોર્ડીગ કરીને સૌ સત્સંગીઓ માટે તેયાર કરવામાં આવ્યું છે અને મંદિરની એપ ઉપર મૂકવામાં આવ્યું છે જેથી સૌ સત્સંગી તેનું શ્રવણ કરીને લાભ લઈ રહયા છે.

સત્પુરુષોની વાણીમાં અનુભવનો નિચોડ હોય છે.તેમની વાણીમાં શાસ્ત્રોનો સાર સ્રવતો હોય છે. મોટાપુરુષના શબ્દોરૂપી અમૃતવાણી એક ફૂલમાં આખા બગીચાની ખુશબુ અને સૌંદર્ય બક્ષે છે. બાપાશ્રી વાતો જે એક વખત પણ જે પારાયણ કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને અંતકાળે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ગ્રંથો છે.દરેક ગ્રંથોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત, ભગવાનની સ્વરુપનિષ્ઠા,દોષો ઉપર કેમ વિજય મેળવવો આદિ અનેક વિષયો ઉપર વર્ણન કરવામાં આવેલું છે. પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કચ્છમાં પ્રગટ થયેલ અબજીબાપાશ્રીએ જે સર્વ શાસ્ત્રોના સાર રુપ જ્ઞાન પીરસ્યું છે તે તો અદ્‌ભૂત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખવા અને તેમણે સમજાવેલ અનાદિમુકતની સ્થિતિનું નિરુપણ, ભગવાનની મૂર્તિમાં રહીને કેવી રીતે સુખ લેવું.ભગવાનને કેવી રીતે પામવા એ જે એમણે જ્ઞાન આપ્યું છે તે અલૌકિક છે.તેમના એક એક બોલ ત્રિવિધિના તાપનું સંતાપ હરનારા છે. તેમણે જે જ્ઞાન પીરસ્યું છે તેનો સંગ્રહ શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ-૧ અને ભાગ-ર ના ગ્રંથ સ્વરુપે આજે આપણને વાંચવા મળે છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.