Western Times News

Gujarati News

ગુજરાતમાં લોકડાઉન વધારવાની વાત માત્ર અફવા છેઃ  નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર, કોરોના ટેસ્ટિંગના ઊભા થયેલા વિવાદ સામે ગુજરાત સરકાર સામે સતત આંગળી ચિંધાઈ રહી છે. તો આ ઉપરાંત લોકડાઉન વધારવા અંગેની બાબતે પણ જોર પકડ્‌યું છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં લોકડાઉન વધારવા અંગે થઈ રહેલી વાતો અંગે તેઓએ સ્પષ્ટતા કરી કે, લોકડાઉન અંગે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની અફવા ફેલાવે છે. પરંતુ દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ છે. રાજસ્થાન બોર્ડર સીલ કરી એ રાજસ્થાન સરકારનો નિર્ણય છે. ગુજરાત સરકાર લોકડાઉન લંબાવવા અંગે કે તેમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી નથી રહી.

રાજ્ય સરકારે તો લોકોની આવક થાય તે માટે છૂટછાટો આપી છે, મંદિરોને પણ છૂટછાટ આપી છે. સરકારે આપેલી છૂટછાટોનું શિષ્ટપૂર્વક પાલન કરો એ જરૂરી છે. ગુજરાતમાં ટેસ્ટીંગ મુદ્દે ઉઠેલા વિવાદ અંગે નીતિન પટેલે મીડિયાને જવાબ આપ્યો કે, કોરોનાની વિવિધ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ મહામારીએ તેવા સમયે નાગરિકોને ઉપયોગી થવા માટે ત્યારે સ્વભાવિક છે પ્રશ્નો અને જરૂરિયાતો ઉભી થતી જાય તે પ્રમાણે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે.

૧૦ ડાક્ટરોની કમિટીએ કરેલી ભલામણોને આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ડોક્ટરની કોર કમિટી સાથે બેઠક થઇ હતી. ગુજરાત કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે અને વધુ સારું સારવાર આપવા માટે માર્ગદર્શન મેળવવામાં આવી રહી છે. નાગરિકોને કોઈને શંકાસ્પદ લાગે કોરોનાના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે. એટલા માટે કોરોનાના કેસ ટેસ્ટીગની સારી રીતે વધારવી જોઈએ. લોકોની માગણી હતી આ વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.