Western Times News

Gujarati News

ગાલવાન ઘાટીમાં જવાનો શાહિદ થતા તમામ કાર્યક્રમો બે દિવસ માટે સ્થગિત કરાયા

સાકરીયા: ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ આજરોજ  જણાવ્યું હતું કે ગાલવાન ઘાટીમાં જવાનો શાહિદ થતાજિલ્લાના તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ સંમેલનો બે દિવસ માટે સ્થગિત કરાયા છે.  ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી એ ટવીટ દ્વારા જણાવ્યું હતું કે “ગાલવાન ઘાટીમાં માતૃભૂમિની રક્ષા કરતાં આપણાં અમર શહીદોનાં સર્વોચ્ચ બલિદાન હમેશાં યાદ રાખવામાં આવશે.

રાષ્ટ્ર હમેશાં તેમનું ઋણી રહેશે.શહીદોને હ્રદયપૂર્વકની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી ભાજપે સમગ્ર દેશમાં પોતાનાં તમામ કાર્યક્રમો, વર્ચ્યુઅલ રેલીઓ વગેરે બે દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.પ્રદેશપ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં ભાજપનાં તમામ કાર્યક્રમો, વર્ચ્યુઅલ રેલીઓ વગેરે બે દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં બે દિવસ દરમ્યાનની સંસદસભ્યો , મોર્યાઓની વર્ચ્યુઅલ રેલીઓ,જિલ્લાના તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ સંમેલનો બે દિવસ માટે સ્થગિત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.