Western Times News

Gujarati News

રાજ્યકક્ષાના વનમંત્રી રમણ પાટકરને હોમ ક્વોરન્ટાઈન કરાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ, સુરત સહિત રાજયભરમાં કોરોનાનું સક્રમણ વધી રહ્યુ છે. સુરતમાં કેસો વધ્યા છે. પરંતુ અમદાવાદમાં એકદરે કેસો ઘટી રહ્યા છે. જા કે વહીવટી તંત્ર સતર્કતાપૂર્વક તેની કામગીરી કરી રહ્યુ છે. કોરોનાને કારણે રાજકીય આગેવાનો સક્રમિત થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી હાલમાં સારવાર લઈ રહ્યા છે. તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા. તેઓને રજા આપી દેવામાં આવી છે. હવે રાજ્ય કક્ષાના વન મંત્રી રમણ પાટકરને કોરોનાના લક્ષણો જણાતા તેમને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

જ્યાં તેમનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યા પછી આગળ નિર્ણય કરાશે. રાજ્ય કક્ષાના વનમંત્રી અન્ય કોઈ રાજકીય આગેવાનોના સંપર્કમાં આવ્યા નથી. પરંતુ તેઓ તેમના મત વિસ્તારમાં કાર્યકરોને મળ્યા હોવાનું મનાય છે. તેથી તેમના સંપર્કમાં આવેલાને પણ ક્વોરન્ટાઈન કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.