Western Times News

Gujarati News

ગોમતીપુરમાં કારખાનાની છત પરથી ભ્રૂણ મળી આવ્યું

અમદાવાદ: માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવાર્યાે હોય એવી ઘટના શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલ ચતુરસિંહની ચાલી પાસે આવેલ એક કારખાનાના છાપરા પરથી એક થૈલી માંથી બાળકીનું ભ્રૂણ મળી આવ્યું છે, જેથી લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઈને જાેયું તો નવજાત બાળકીનું હોવાનું સામે આવ્યું હતું. મૃત બાળકી અંગે પોલીસને જાણ કરતા બાળકીને ત્યજનારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

શનિવારે મોડી સાંજે કારખાના ના પાસે રહેતા એક વ્યક્તિએ છાપરા પર જાેયું તો તેને શંકા ગઈ અને તેને તાપસ કરી તો ભ્રૂણ હોવાનું સામે આવ્યું હતું.આ મામલે પોલીસ ને જાણ કરવા માં આવી અને પોલીસ આવી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, લોકડાઉન હોવાથી અવર જવર ઓછી હોય છે અને કોણે આ થેલી નાખી છે તે ખ્યાલ આવ્યો નથી. મૃત નવજાત બાળકીના શરીર પર કોઈ નિશાન છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

હવે પોલીસે બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી તેને તરછોડી જનારની શોધખોળ હાથ ધરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા ૧૦ દિવસમાં અમદાવાદ માં ૪ જગ્યાએથી ભ્રૂણ મળી આવ્યા છે. મણિનગર, અમરાઈવડી, ઓઢવ બાદ હવે ગોમતીપુરમાંથી ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જાેકે અત્યાર સુધી એકપણ કેસમાં આરોપી પકડાયા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.