Western Times News

Gujarati News

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસઃ યોગી સરકારે SCમાં સોગંદનામુ નોંધાવ્યું

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ નોંધાવી દીધું છે. યુપી સરકારના કહેવા પ્રમાણે આ સમગ્ર કેસની તપાસ માટે આયોગની રચના કરી દેવાઈ છે. વિકાસ દુબે એક ખૂંખાર ગેંગસ્ટર હતો જેણે નિર્દયતાપૂર્વક આઠ પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. આ એન્કાઉન્ટરને લઈ લોકોના મનમાં અનેક પ્રકારની ખોટી ધારણાઓ છે.

સોગંદનામામાં યોગી સરકારે જણાવ્યું છે કે, વરસાદ અને તેજ ગતિના કારણે વાહન પલટી ગયું હતું. વાહનમાં સવાર પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. વિકાસ દુબેએ ઘાયલ કર્મચારીઓ પૈકીના એકની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેને આત્મસમર્પણ માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેના બદલે તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર કેસની તપાસ માટે અમે સમિતિની રચના કરવા અંગે વિચારી રહ્યા છીએ. આ સાથે જ કોર્ટે અથડામણની સીબીઆઈ કે પછી એસઆઈટી તપાસ કરાવવાની અરજી મામલે સરકારનો જવાબ માંગ્યો હતો. કોર્ટે યુપી સરકાર પાસેથી ગુરૂવાર સુધીમાં જવાબની માંગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે જે રીતે કોર્ટે હૈદરાબાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના મોનિટરિંગ અંતર્ગત તપાસનો આદેશ આપેલો તે જ રીતે અમે આ કેસમાં પણ વિચારી રહ્યા છીએ. આ વર્ષની શરૂઆતમાં હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં પોતાના આદેશનો હવાલો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમે કશુંક કરી શકીએ છીએ જેમ અમે ત્યાં કર્યું હતું.

મુંબઈના વકીલ ઘનશ્યામ ઉપાધ્યાય અને વકીલ અનૂપ અવસ્થીએ આ કેસ મામલે જનહિતની અરજી દાખલ કરી છે. અરજીમાં યુપી પોલીસની ભૂમિકાની તપાસની માંગ કરવામાં આવી છે. જો કે તે અરજી અથડામણ પહેલા મોડી રાતે નોંધાઈ હતી જેમાં વિકાસ દુબેનું એન્કાઉન્ટર થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.