Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ લંડન મંદિરનો ૭ મો પાટોત્સવ ઉજવાશે અને ધાર્મિકવિધી ઓનલાઈન મણિનગરથી થશે.

કોરોનો વાયરસના કારણે………
– કુમકુમ લંડન મંદિરનો ૭ મો પાટોત્સવ ઉજવાશે અને ધાર્મિકવિધી ઓનલાઈન મણિનગરથી થશે.
– સ્વામિનારાયણ સંપ્રદાયના સૈાથી વધુ વિદેશની દ્રષ્ટિએ લંડનમાં સત્સંગીઓ વસે છે.

તા. ર ઓગષ્ટ ને રવિવારે કુમકુમ લંડન મંદિરનો ૭ મા પાટોત્સવની ઉજવણી સવારે ૯-૦૦ થી ૧ર-૦૦ સુધી કરવામાં આવશે.

લંડન સરકારના કાયદા અનુસાર અને સોશીયલ ડીસ્ટન્સ જાળવીને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, સદ્‌ગુરુઓ, જીવનપ્રાણ સ્વામીબાપાનું ષોડ્‌શોપચારથી પૂજન, અર્ચન કરવામાં આવશે તેની ધાર્મિક વિધી મણિનગર કુમકુમ મંદિરથી શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી ઓનલાઈન કરાવશે અને ત્યારબાદ મહંત સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.

ત્યારબાદ સારાય વિશ્વના ભકતો તેનો લાભ લઈ શકે તે માટે રક્ષાબંધનના દિવસે શ્રી સ્વામિાનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ઉપર તે આશીર્વાદ અપલોડ કરવામાં આવશે.

આ લંડન મંદિરના પાટોત્સવ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સૈાથી વધુ વિદેશની દ્રષ્ટિએ લંડનમાં સત્સંગીઓ વસે છે. તેથી દર વર્ષે કુમકુમ મંદિરથી સંતો લંડનના પાટોત્સવ પ્રસંગે ત્યાં જાય છે અને સત્સંગ કરાવે છે.પરંતુ હાલ,કોરોનાવાયરસના કારણે આ વર્ષે લંડન જઈ શકયા નથી. તેથી આપણી શાસ્ત્રોક્ત વિધી ઓનલાઈન કરાવશે અને મંહત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી યુવાનોને આપણા સંસ્કારો અને મંદિરોના મહત્વ અંગે સંબોધશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ ઈ.સ. ૧૯૪૮ માં શ્રી મુકતજીવન સ્વામીબાપા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આફ્રીકા વિદેશ ગયા અને ભારતીય સંસ્કૃતિના પ્રચારનો પાયો નાંખ્યો છે. તેને કારણે આજે સારાય વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો અને સ્થપાયા છે અને સત્સંગીઓ બન્યા છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.