Western Times News

Gujarati News

અભિનેતા હિમાંશ કોહલીનો પરિવાર કોરોનાથી સંક્રમિત

મુંબઈ: બોલિવુડ એક્ટર હિમાંશ કોહલી કોરોના મહામારી દરમિયાન પોતાના પરિવાર સાથે દિલ્હીમાં છે. હિમાંશ સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ રહે છે ત્યારે તેણે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે. જો કે, હિમાંશના ફેન્સ માટે રાહતની વાત એ છે કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ફિલ્મ ‘યારિયાં’ ફેમ એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર આ વિશેની માહિતી આપી છે. હિમાંશ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને જણાવ્યું, “છેલ્લા ૨-૩ દિવસથી મારા માતા-પિતા અને બહેન દિશામાં વાયરલ ઈન્ફેક્શનના લક્ષણો દેખાતા હતા અને થોડો તાવ પણ હતો. હાલમાં જ અમે સૌએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. જેમાં મારા માતા-પિતા અને દિશાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને હળવા લક્ષણો છે. જ્યારે મારો રિપોર્ટ નેગેટિવ છે. અમે સંપૂર્ણ તકેદારી સાથે હોમ ક્વોરન્ટીન થયા છીએ.

સલાહ-સૂચનો અને મદદ માટે સરકારી અધિકારીઓનો આભાર માનીએ છીએ. આપણે સૌ સુરક્ષિત રહીએ તે માટે દિવસ-રાત મહેનત કરતાં સૌનો આભાર. આશા છે કે અમે આમાંથી જલદી જ સાજા થઈને બહાર આવીશું. તમારા પ્રેમ અને પ્રાર્થનાઓની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, હિમાંશનું નામ હવે એ સેલિબ્રિટીઝમાં સામેલ થયું છે જેમના પર આ મહામારીની અસર થઈ છે. બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, પુત્ર અભિષેક, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા, સિંગર કનિકા કપૂર, જેનેલિયા ડિસુઝા, કિરણ કુમાર વગેરે જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિતારા કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે ટેલિવુડમાંથી પાર્થ સમથાન અને શ્રેણુ પરીખ પણ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.