Western Times News

Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શ્રદ્ધાંજલિ

આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે: વિજયભાઇ રૂપાણી  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી, ભારતરત્ન શ્રી પ્રણવ મુખરજીના દુઃખદ અવસાન અંગે ઊડાં શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીને મૃદુભાષી, સૌને સન્માન આપનારા અને પક્ષીય રાજકારણથી પર રહેલા વ્યકિતત્વ ગણાવતા ઉમેર્યુ છે કે તેમના નિધનથી આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે.  મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ શ્રી પ્રણવ મુખરજીના અવસાનથી રાષ્ટ્રને ન પૂરાય તેવી ખોટ પડી છે તેમ જણાવી સદ્દગતના આત્માની પરમશાંતિ માટે ઇશ્વર પ્રાર્થના કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.