માણાવદર તાલુકા ના ભીંડોરા ગામે હજારો વિધા જમીનમાં પાણી ફરી વળ્યા
માણાવદર તાલુકાના ભીંડોરા ગામે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતૉ ના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અત્યારે ખેડૂતો મુશ્કેલી મા મુકાયા છે
વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડૂતો એ વાવેતર કરેલ ખેતપેદાશો નું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની ખેડૂતો વેઠી રહ્યા છે
મેધરાજાની અવિરત મેધસવારીથી સાથે ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર થયા હતા
ખેડૂતોએ વાવેતર કરેલ હજારો વિધાની મગફળી માં વરસાદી પાણી ભરાયેલા રહેતા મગફળી ના પાકને નુકસાન થવાની શકયતા સેવાઇ રહી છે
ખેડૂતોના ખેતરોમાં થયેલ નૂકશાન વળતર આપવા ભીંડોરા ગામના સરપંચ એ માંગ કરી છે આજે માણાવદર તાલુકા વિકાસ અધિકારી મોરીને લેખિત રજૂઆત કરી છે કે ભીંડોરા ગામને તાત્કાલિક પુર અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ભીંડોરા ગામના સરપંચે કરી