Western Times News

Gujarati News

સુશાંત-અંકિતાનો શો પવિત્ર રિશ્તા ટીવી પર ફરીથી શરૂ

મુંબઈ: જ્યાં એક તરફ સીબીઆઈ, એનસીબી અને ઈડી સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસમાં જોડાયેલાં છે ત્યાં બીજી તરફ ફેન્સની ડિમાન્ડ પર સુશાંત અને અંકિતા લોખંડેના ટીવી શો પવિત્ર રિશ્તાને ફરી એકવાર ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે. પવિત્ર રિશ્તામાં અંકિતા અને સુશાંતની જોડી હતી. આ શો દ્વારા બંને માનવ અને અર્ચના તરીકે પૉપ્યુલર થયા હતા. આ બંનેનો પહેલો ટીવી શો હતો. આ શોમાં કામ કરતી વખતે જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

સમયથી સાથે તેમનો સંબંધ મજબૂત થતો હતો અને પછી રિપોર્ટ્‌સ આવ્યા કે, ૨૦૧૬માં અંકિતા અને સુશાંત લગ્ન કરવાના છે. પણ ત્યારે જ કોઈ કારણોસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું. અંકિતા માટે પવિત્ર રિશ્તા હંમેશાં સ્પેશિયલ રહેશે કારણ કે, આના દ્વારા તેણે ન માત્ર એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું પરંતુ આ શો થકી જ તે પોતાના પ્રેમ સુશાંતને મળી શકી. હવે જ્યારે આ સીરિયલની ફરી એકવાર ઝી ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે ત્યારે અંકિતા અત્યંત ખુશ છે.

ઝી ટીવી દ્વારા ટ્‌વીટર પર શેર કરવામાં આવેલા શોના પ્રોમોને રિટ્‌વીટ કરતા હાર્ટ ઈમોજીની સાથે અંકિતાએ લખ્યું ફરી એકવાર, પવિત્ર રિશ્તા દરરોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઝી ટીવી પર દેખાડવામાં આવશે. વાત કરીએ સુશાંત કેસની તો આમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીની ટીમે હજુ સુધી શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતને અરેસ્ટ કરી લીધા છે. રવિવારે એનસીબીની ટીમ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી અને તેમને સમન સોંપ્યુ. શક્ય છે કે, પૂછપરછ બાદ હવે રિયાને પણ અરેસ્ટ કરી લેવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.