Western Times News

Gujarati News

ઈરફાન ખાનની કબર ફૂલોથી સજી, પુત્રએ તસવીર શેર કરી

મુંબઈ: બોલિવૂડ એક્ટર ઈરફાન ખાને આ વર્ષે એપ્રિલમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. થોડા દિવસ પહેલા પોતાના માનીતા દિવંગત એક્ટરની કબર ઘાસ ઉગેલું જોઈ ફેન્સ નારાજ દેખાયા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ત્યાં સાફ-સફાઈ થઈ ગઈ હતી. હવે ઈરફાનની કબર પર વધુ કામ કરવામાં આવ્યું છે. આની તસવીરો તેમના પુત્ર બાબિલે શેર કરી છે. ગુરુવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિતા ઈરફાન ખાનની કબરની લેટેસ્ટ તસવીર શેર કરી છે. આમાં કબરની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવી છે અને તેના પર ફૂલ દેખાઈ રહ્યા છે. આની સાથે બાબિલે રશિયાના ફિલ્મમેકર, થિએટર ડિરેક્ટર અને રાઈટર આન્દ્રઈ તાર્કોવ્સ્કીની લાઈન લખી, ‘જ્યારે એક આદમી પેદા થાય છે ત્યારે તે નબળો અને લચીલો હોય છે.

જ્યારે તે મરી જાય છે ત્યારે તે કઠોર અને અસંવેદનશીલ હોય છે. જ્યારે એક ઝાડ વધી રહ્યું હોય છે ત્યારે તે કોમળ હોય છે, પણ જ્યારે તે સૂકાઈ જાય છે તો મરી જાય છે. કઠોરતા અને શક્તિ મોતના સાથી છે. પ્રસન્નના અને નબળાઈ અસ્તિત્વની તાજગીનો ભાવ છે કારણ કે, જે કઠોર થયો છે તે ક્યારેય નહીં જીતે.’ બાબિલે આગળ લખ્યું, ‘તમે ક્યારેય કઠોર નથી રહ્યા. તમારી આત્મા ક્ષમાશીલ અને સંવેદનશીલ છે. જણાઈ દઈએ કે, તાજેતરમાં એક્ટર ચંદન રૉય સાન્યાલ ઈરફાન ખાનની કબર ગયો હતો અને ત્યાંની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે તસવીરમાં ઈરફાનની કબરની હાલત જોઈને ફેન્સ ઘણા ઉદાસ થયા હતા.

પોતાના માનીતા એક્ટરની કબરની આ દશા પર લોકોએ નિરાશા વ્યક્ત કરી હતી. ૫૩ વર્ષીય એક્ટર ઈરફાન ખાને ૨૯ એપ્રિલે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ એક દિવસ પહેલા જ કોલન ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં એડમિટ થયા હતા હતા. જણાવી દઈએ કે, ઈરફાન બે વર્ષથ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. તેમણે વિદેશમાં સારવાર કરાવી હતી અને બાદમાં ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’થી કમબેક કર્યું હતું. આ સમયે લાગતું હતું કે, તેમને કેન્સર પર જીત મેળવી લીધી છે પરંતુ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમનું અવસાન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.