Western Times News

Gujarati News

અમદાવાદમાં માથાભારે તત્વોનો આંતક : બે યુવાનો પર તલવાર અને બેઝબોલથી હુમલા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વખતથી માથાભારે તત્વોએ માંથુ ઉચકયું છે આ અંગેની વિગત એવી છે કે ચાંદલોડીયા વિસ્તારમાં ગોકુલધામ રેસ્ટોરન્ટ સામે રહેતા પ્રદિપસિંહ ભીમસિંહ ભદોરીયા અને આ જ વિસ્તારમાં રહેતા સુભાષસિહ વચ્ચે રૂપીયાની લેવડ દેવડનો સંબંધ હતો ગઈ તા.૬.૮.ર૦૧૯ના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે પ્રદિપસિંહ આ વિસ્તારમાં સીલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે આવેલી બાપા સીતારામ ચા ની કિટલી પાસે ઉભા હતા ત્યારે ચંદન ચૌહાણ, જય ચૌહાણ અને સુભાષસિહ ત્યાં આવ્યા હતા

આ વખતે સુભાષસિંહ અને પ્રદિપસિંહ વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી દરમિયાનમાં સુભાષસિહના પુત્રએ પ્રદિપસિહ પર તલવારથી હુમલો કરતા ગંભીરપણે ઘવાયેલા પ્રદિપસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ નાસી છૂટયા હતા સોલા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

જુહાપુરા વિસ્તારમાં રહેતા આમીર યાસીન સીપાઈ ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે તેના એક સંબંધી સાથે એપીએમસી માર્કેટ પાસે આવેલી ચા ની કીટલી પર ઉભો હતો ત્યારે મહેબુબ, શાહીદ, યુસુફ અને મુશીર નામના ચાર શખ્સો ત્યાં અગાઉથી જ ઉભા હતા આસીરે મહેબુબને કહયુ હતું કે તું ગઈકાલે મારા સંબંધી કેમ ગાળો બોલતો હતો

આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયા બાદ મારામારી થતાં ઉપરોકત ચાર પૈકિના બે શખ્સોએ તલવારથી અને બેઝબોલથી આસીર પર હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી હુમલો કર્યા બાદ હુમલાખોરો નાસી છુટયા હતા પોલીસે ઉપરોકત ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કીર આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.