Western Times News

Gujarati News

ભારતીય સેનાએ નૌશેરામાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા

શ્રીનગર, પાકિસ્તાને ભારતીય સેનાએ જાેરદાર પાઠ ભણાવ્યો છે.નૌશેરા સેકટરની સામે એલઓસી પર પાકિસ્તાની સેનાએ સંધર્ષ વિરામનો ભંગ કર્યો હતો પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપતાં ભારતીય સેનાએ બે સૈનિકોને ઠાર માર્યા હતાં.

આ પહેલા પાકિસ્તાને રવિવારે રાતે પણ આંતરરાષ્ટ્રીય સીમા પર સંધર્ષ વિરામનો ભંગ કર્યો હતો આ દરમિયાન હીરાનગર સેકટરના પાનસર વિસ્તારમાં લગભગ છ કલાક સુધી ગોળીબાર કરી સુરક્ષા ડેમ બનાવવાના કામને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો જાણકારી અનુસાર રાતે લગભગ ૧૦ કલાકે જેવું જ સુરક્ષા ડેમ બનાવવાનંું કાર્ય થયો તો પાકિસ્તાનની ૨૫ ચિનારના સૈનિકોએ ઠાકર પુરા પોસ્ટથી ગોળીબાર શરૂ કર્યો જે વહેલી સવારે ચાર વાગ્યા સુધી જારી રહ્યો આ દરમિયાન નાના મોટા હથિયારોનો ઉપયોગ કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.