Western Times News

Gujarati News

કોરોનાના કોફિનમાં આખરી ખીલો સાબિત થશે રસી, ગણતરીના લોકોને જ આડઅસરઃ ડો.હર્ષવર્ધન

નવી દિલ્હી, દેશમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ અભિયાનની વચ્ચે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યુ છે કે, કોરોનાની રસી કોરોનાના કોફીનમાં આખરી ખીલા સમાન સાબિત થશે.અત્યાર સુધીમાં 8 લાખ લોકોને રસી આપવામાં આવી છે અને બહુ જ ઓછા લોકોમાં તેની આડઅસર જોવા મળી છે.જે તમામ વેક્સીન મુક્યા પછી કેટલાક કેસમાં જોવા મળતી હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, કમનસીબી છે કે દેશમાં કેટલાક લોકો જાણી જોઈને માત્ર રાજકીય કારણોસર કોરોનાની રસી સામે અપપ્રચાર કરી રહ્યા છે.જેનાથી સમાજના એક નાના વર્ગમાં રસીને લઈને શંકાઓ ઉભી થઈ છે.સરકાર ઈચ્છે છે કે, જે લોકોને ગેરસમજ થઈ છે તેમને પણ કોઈ નુકસાન થવુ જોઈએ નહીં.

કોરોના રસીને યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, દેશમાં આઠ લાખ લોકોને રસી મુકાઈ છે.અને આંગળીના વેઢે ગણાય તેટલા લોકોમાં તેની આડઅસર જોવા મળી રહી છે.

જો કોરોનાની વાત કરવામાં આવે તો દેશમાં હવે માત્ર 1.92 લાખ એક્ટિવ કેસ છે.જ્યારે દેશમાં અત્યાર સુધી 1.52 લાખ લોકોના મોત થયા છે.જ્યારે 1.02 કરોડ લોકોને સારવાર બાદ અત્યાર સુધીમાં રજા અપાઈ છે.હાલમાં કોરોનાના દર્દીઓનો રીકવરી રેટ 96 ટકા કરતા પણ વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.