Western Times News

Gujarati News

સુરતમાં ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટે ૫૦૦ કિ.ગ્રા. થી વધુ મેલેથીયોનનું ડસ્ટિંગ કરવામાં આવ્યું

પ્રતિકાત્મક

9 મહિનાની ૧૪ વર્ષના બાળકોને સખત તાવ આવવો, ઉલટી-ઉબકાથવા,ખેંચ આવવી,અર્ધ ભાન કે બેભાન થવું, નબળાઈ આવવી વિગેરે  લક્ષણ જણાય તો તુરંત નજીકના સુરત સિવિલ/ સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે સારવાર લેવા સુચના 

સુરત, ​તા. ૨૦/૦૭/૨૦૨૪ ના રોજ સિવિલ હોસ્પિટલમાં ૧૧ વર્ષની સ્લમ બોર્ડ કનકપુર ખાતે રેહતી બાળકીને દાખલ કરવામાં આવેલ. બાળકીને તા.૧૯/૦૭/૨૦૨૪ ના રોજથી સખત તાવ અને ઉલટીની તકલીફ હતી ત્યારબાદ તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ખેંચની તકલીફ થવાથી પ્રાઇવેટ હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલના બાળ-રોગ વિભાગમાં દાખલ કરવામાં આવેલ. બાળકને એકયુટએન્કેફેલાયટીસના લક્ષણો જણાતા  સદર બાળકીનું સેમ્પલ વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા GBRC માં મોકલવામાં આવેલ છે.

​ સદર બાબતે વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા સદર વિસ્તારમાં ૩૧૧ જેટલા ઘરોનો સર્વે કરવામાં આવેલ છે જેમાં અન્ય કોઈ તાવના કેસો મળેલ નથી. તેમજ વાહક જન્ય રોગ નિયંત્રણ  અન્વયે તમામ ઘરોની આજુબાજુ IRS (ઇન્સેકટીસાઈડ,રેસીડ્યુઅલ સ્પ્રે) કરવામાં આવેલ છે તેમજ સદર વિસ્તારમાં ૫૦૦ કિ.ગ્રા. થી વધુ મેલેથીયોનનું ડસ્ટિંગ કરવામાં આવેલ છે.

​વધુમાં સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા તા.૧૯/૦૭/૨૦૨૪ થી આજ દિન સુધીમાં સદર રોગ વિષે આઇઇસી કરી જન જાગૃતિ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજ દિન સુધીમાં કુલ ૧૩૦ જેટલા કાચા મકાનવાળા વિસ્તાર (સ્લમ, આવાસ, હળપતિવાસ) ૧૦૪૮૪ ઘરોમાં IRS(ઇન્સેકટીસાઈડ, રેસીડ્યુઅલ સ્પ્રે) તેમજ ૧૮૨૬ કિ.ગ્રા. થી વધુ મેલેથીયોનનું  ડસ્ટિંગ કરવામાં આવેલ છે.

​હાલમાં ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓમાં વાયરલ એન્કેફેલાયટીસ (ચાંદીપુરા વાયરસ) ના શંકાસ્પદ કેસો નોંધાવા પામેલ છે. ચાંદીપુરા વાયરસ (CHPV) એ સામાન્ય રીતે રેતીમાખી દ્વારા ફેલાય છે, સામાન્યરીતે ચેપગ્રસ્ત સેન્ડ ફલાય(રેતી ની માખી) ના કરડવાથી બ્લડમાંવાઇરસ પહોચતા એનું સંક્રમણ થઈ શકે છે.

​સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જો આપના ૦૯ મહિનાની ૧૪ વર્ષના બાળકોને સખત તાવ આવવો, ઉલટી-ઉબકાથવા,ખેંચ આવવી,અર્ધ ભાન કે બેભાન થવું, નબળાઈ આવવી વિગેરે  લક્ષણ જણાય તો તુરંત નજીકના પીડીયાટ્રીશીયન કે સિવિલ/ સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે સારવાર લેવા જણાવવામાં આવે છે. તમામ પ્રાઈવેટ પીડીયાટ્રીશીયનને પણ જરૂર જણાયે આવા લક્ષણો વાળા બાળકોને તાકીદે સિવિલ/ સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવા જણાવવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.