Western Times News

Gujarati News

સરકાર મૃતકોના આંકડા છુપાવવાનું પાપ કરે છેઃ કોંગ્રેસ

File

અમદાવાદ ઃ રાજ્યમાં કોરોનાવાયરસથી કેસ ઘટ્યા છે, પરંતુ ગામડાંમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. ટેસ્ટિંગની સુવિધા તથા સારવારના અભાવે ગામડાંમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાથી થઈ રહેલાં મોતના આંકડાઓ સાચા ન બતાવાતા હોવાના ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે.

ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ કરીને સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. એમાં સરકારના સરકારનો અણઘડ વહીવટને કારણે રાજ્યમાં ભય અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હોવાનો આરોપ કરાયો છે, સાથે જ આખા રાજ્યમાં ૨ લાખ જેટલા લોકોનાં મોત થયાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું, ગુજરાતમાં કોરોના ગંભીર પરિસ્થિતિ છે, ભય અંધાધૂંધી છે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. આ માટે સરકારનો અણઘડ વહીવટ અને સંકલન જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટના બે પાસા હોય છે, જેમાં શિક્ષાત્મક પાસું અને કલ્યાણ પાસું. સરકારે શિક્ષાત્મક પાસાનો ઉપયોગ કરી લોકોને દંડ, મિકલસ સીલ સહિતની કાર્યવાહી કરી, પરંતુ કલ્યાણલક્ષી પાસાની અનદેખી કરવામાં આવી રહી છે.

નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કુદરતી આપદા હોય અને લોકો મૃત થાય તો સહાય કરવામાં આવે છે. કોરોના મહામારીમાં ૧૩ મહિનામાં જેટલા લોકોના મૃત્યુ થયા છે તે તમામના પરિવારને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ સરકાર ૪ લાખની સહાય જાહેર કરે તેવી માંગ છે. સાચી હકીકત કંઈ અલગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.