પાટણમાં મા-બાપને કોરોના થાય તો બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય અપાશે

પાટણ, રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવાયો છ. રાજય સહિત સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં કોઈ પરિવારમાં મા-બાપને કોરોના થાય તો બાળકોને મુકવા જ કયાં..?? તેવો પ્રશ્ન ઉપસ્થિત થતા હતો પરંતુ સરકારે તેનો હલ લાવ્યો છે
અને મા-બાપને કોરોના થાય તો સરકાર દ્વારા ચિલ્ડ્રન હોમમાં આશ્રય અપાશે અને આ માટે કયાં આશ્રય અપાશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં આખે આખા પરિવારના સભ્યો સંક્રમિત થયાના કિસ્સા વધ્યા છે.
છેલ્લા એક મહિનામાં જે ઘરમાં એક વ્યક્તિને કોરોના લાગ્યો હોય તેનું સંક્રમણ પછી પરિવારના અન્ય સભ્યોને લાગે છે જેના કારણે પરિવારના સભ્યો દિવસોના દિવસો સુધી હોમ કવોરન્ટાઈન રહેતા હોય છે. બાળકો સંક્રમિત થયા ન હોય તે કિસ્સામાં સંક્રમિત મા-બાપ બાળકોને કેવી રીતે સાચવે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો
અને આવી સમસ્યાઓના નિરાકરણમાં સમાજ કલ્યાણ વિભાગે સંવેદનશીલતા દાખવી છે. ધ્યાનમાં આવ્યા મુજબ મા-બાપ કોરોના સંક્રમિત થયા પછી મૃત્યુ પામે એટલે તેમના સંતાનો નોંધારા થઈ જાય છે તેમણે કોણ રાખે તેવો પણ પ્રશ્ન હતો આ સંજાેગોમાં કોરોનાના સંક્રમણમાં ભોગ બનેલા દંપતિના સંતાનોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવશે.