જોટવટ ગામના ઇસમે બે ભુતો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમા લેખિત અરજી કરતા અહો આશ્ચર્યમ

જાંબુઘોડા,પંચમહાલ અરજી કરનાર ઇસમ માનસિક અસ્વસ્થ હોવાની તપાસમા વિગતો બહાર આવી.
પંચમહાલ-દાહોદ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂત-ડાકણ હોવાના સહિતના અંધશ્રધ્ધાના કિસ્સા પ્રકાશમા આવતા રહે છે.પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકામાં વિચીત્ર કિસ્સો બહાર આવ્યો છે.જેમાં જોટવડ ગામે રહેતા ઇસમે કોઈ વ્યક્તિ નહી પણ બે ભુતોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો દાવો જાંબુઘોડા પોલીસને આપેલી લેખિત અરજીમાં કરવામા આવ્યો છે.જોકે આ અરજી કરનાર યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાની વિગતો બહાર આવી છે.
પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના કાંઠી ફળીયામાં રહેતા વરસંગભાઈ બલુભાઈ બારીયાએ જાંબૂઘોડા પોલીસ સ્ટેશનમાં બે ભુતોએ મારી નાખવાની ધમકી આપ્યા હોવાની લેખિત અરજી આપતા ચકચાર મચી જવા પામી છે.જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં યુવાને જણાવ્યું છે કે જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમા મારા પરિવાર સાથે રહું છું ત્યારે ખેતી કરીને ગુજરાન ચલાવું છું હું દસેક વાગે સવારે મારા ખેતરમાં હતો તે વખતે એક ભૂતની ટોળકી આવી હતી અને ટોળકી માંથી બે ભૂત મારી જોડે આવેલા હતા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી હું ત્યાંથી ભાગીને અત્યારે પોલીસ સ્ટેશને આવ્યો છું તો મારી જાન બચાવવા આપ સાહેબને વિનંતીછે. જેનુ દુનિયામા કોઈ ભવિષ્ય નથી કે આધાર નથી તેવા ભૂતો વિરૂધ્ધની અરજીથી પોલીસ આલમમાં ભારે ચકચાર ચર્ચા જાગી છે. કદાચ પોલીસ વિભાગમા આવા પ્રકારનો કિસ્સો પ્રથમ વખત બહાર આવ્યો હોવાનુ મનાય છે. હાલમાં તો
આ ઈસમ માનસિક રીતે અસ્વસ્થ હોવાનુ તેમના પરિવાર તરફથી જાણવા મળ્યું છે.જાંબૂઘોડા ખાતે આવેલા આલ્ફા હીલીંગ સેન્ટરમાં મનોરોગોની વર્ષોથી સારવાર કરતા અને જીલ્લાના જાણીતા સાઇકાટ્રીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.પાર્થકુમાર સોનીએ વેસ્ટર્ન ટાઇમ્સને ટેલિફોનિક વાતચીતમા જણાવ્યુ હતુ કે મનોરોગીમા આ પ્રકારના દેખાતા લક્ષણોને મેડીકલની ભાષામાં “સાયકોસીસ “કહેવામા આવે છે.
જેમા ભોગ બનનાર વ્યક્તિને તેની આસપાસ કોઇ વ્યક્તિ હોવાનો આભાસ થાય છે.પોતાની આસપાસ અવાજો પણ સંભળાય છે.હકીકતમાં એવૂ કઇ પણ હોતુ નથી.આ માત્ર ભ્રમ હોય છે.ત્યારે આવી રીતે ભોગ બનનાર મનોરોગીના પરિવારના સભ્યોએ તાત્કાલિક સાયકાટ્રીસ્ટ પાસે લઇ જઇને તેની સારવાર કરાવી જોઇએ.જેથી તેનુ યોગ્ય સમયે નિદાન થાય.