Western Times News

Gujarati News

બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા મહાશસ્ત્ર અને શાસ્ત્ર પુજાના સમારોહ સાથે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયુ

(પ્રતિનિધિ)વિરપુર અધર્મસામે ધર્મના વિજયના અનેરા અવસર વિજયાદશમીના દિવસે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન રામચન્દ્રએ રાવણ સાથે યુધ્ધ કરવા માટે ક્રિષ્ક્રિંધામાંથી નિકળીને વિજય મેળવ્યો હતો એટલું નહિ પાંડવોએ ગુપ્તવાસ બાદ શમીવૃક્ષ પરથી તેઓએ સંતાડેલા તમામ શસ્ત્રો ઉતારીને તેનું શાસ્ત્રોકત રીતે પૂજનઅર્ચન કર્યુ હતુ

ત્યારથી દર વર્ષે દેશભરમાં અલગ અલગ સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાય છે ત્યારે મહિસાગર જીલ્લાનો સૌથી મોટો દશેરાનો કાર્યક્રમ વિરપુર ખાતે યોજાયો હતો

વિજયા દશમીની ઉજવણી નિમિત્તે વિરપુર- બાલાસિનોર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરાયું હતું એસ્સાર પેટ્રોલ પંપથી પરંપરાગત પોશાક ધારણ કરી ક્ષત્રિય સમાજના યુવાનોએ વિશાળ રેલી કાઢ્યા બાદ વિરાજી બારીયા સર્કલ પાસે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિરાજ બારીયાની પ્રતીમાનેે ફુલહાર અને તલવાર બદલાઈ હતી.

બાદમાં કેશવ કોમ્પલેક્ષ ખાતે સભાના રૂપમા વિવેકાનંદ વિદ્યાલયના બાળકો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં આગેવાનોની ઉપસ્થિતિમાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાસંદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ,

મહિસાગર ભાજપ યુવા મોરચા પ્રમુખ કેતનસિંહ ઝાલા, જીલ્લા પંચાયત સદસ્ય પ્રતીનીધી એસ.બી ખાંટ, ક્ષત્રીય સમાજ બાલાસિનોર પ્રમુખ કીરીટસિંહ ઝાલા, ક્ષત્રિય સમાજના આગેવાન યુ કે ઠાકોર,પુર્વ તાલુકા પ્રમુખ અજમેલસિંહ પરમાર, પુર્વ જીલ્લા સદસ્ય પાલીખંડા ઉદેસિંહ ચૌહાણ,

પુર્વ પ્રમુખ વિરપુર સી આર ઝાલા, ક્ષત્રિય સમાજ કન્વીનર વિરપુર હિમ્મતસિંહ ઠાકોર,પુર્વ સદસ્ય વિરપુર નાથુસિંહ પરમાર, વિરપુર સરપંચ પ્રતિનિધિ પારૂલ સોની સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દશેરા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.