કશ્મીરમાં સુરક્ષા દળોનો સપાટોઃ ૧૫ ત્રાસવાદીઓનો ખાતમો કરી નાખ્યો

શ્રીનગર, પરપ્રાંતીય નાગરિકોની હત્યા કરાઈ ત્યારપછી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં ૧૫ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ જાણકારી આપતાં સ્થાનિક પોલીસે કહ્યું કે ૯ એન્કાઉન્ટરોમાં ૧૫ ત્રાસવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં, શ્રીનગર શહેરમાં ૩ ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા છે. તે ઉપરાંત, આજે શોપિયાં જિલ્લામાં થયેલા એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આદિલ અહ-વણી નામના ત્રાસવાદીને ગોળીએ દીધો હતો. તે ૨૦૦૨ની સાલથી કશ્મીર ખીણપ્રદેશમાં સક્રિય હતો.
એક ગરીબ પરપ્રાંતીય મજૂરની તેણે જ હત્યા કરી હતી. ગયા અઠવાડિયે ઉમર મુશ્તાક ખાંડે નામના ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યો હતો જે લશ્કર-એ-તૈબાનો કમાન્ડર હતો અને જમ્મુ-કશ્મીરમાં ટોચનો રીઢો ત્રાસવાદી હતો. એણે બે પોલીસ જવાનની હત્યા કરી હતી.HS