Western Times News

Gujarati News

અમદાવાદ: દિવાળી બાદ રાજ્યમાં ૧૫ લાખથી વધુ રીક્ષા ચાલકોની હડતાળ

અમદાવાદ, સી.એન.જી ગેસના વધતા જતા ભાવો તેમજ ચાર વર્ષથી રીક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવા સરકારના ઈન્કાર અને વધતી જતી મોંઘવારીના કારણે ઓટો રીક્ષા ચાલકોની પરિસ્થિતિ વધુને વધુ કફોડી થતી જાય છે. એવામાં રાજ્યના વિવિધ રીક્ષાચાલક મંડળ તરફથી હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે.

રીક્ષાચાલકોની માંગ છે કે પાછલા ૪ વર્ષથી રીક્ષા ભાડામાં વધારો નથી કરવામાં આવ્યો. જેથી હાલ પ્રતિ કિલોમીટર રીક્ષાના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે અને ભાડું ૧૦થી વધારી ૧૫ રૂપિયા નક્કી કરવામાં આવે. આ ઉપરાંત લઘુતમ ભાડું ૧૫થી વધારી ૨૫ રૂપિયા કરવામાં આવે. સાથે જ સીએનજીના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે.

અમદાવાદ સહિત રાજ્યભરના રીક્ષા ચાલકોના મંડળે રાજ્ય સરકાર સમક્ષ સીએનજીના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. જાેકે હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ જાતના પ્રતિભાવ નહીં મળતા દિવાળીના તહેવાર પછી સમગ્ર ગુજરાતમાં ૧૫ લાખથી વધુ રીક્ષા ચાલકોના રીક્ષાના પૈડા થંભી જશે અને અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.