પ્રેમ સબંધમાં હત્યા કેસમાં ચારને આજીવન કેદની સજા
નડિયાદ, પ્રેમ સંબંધ મામલે યુવકની હત્યા કરનાર ૪ શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેમદાવાદ તાલુકાના સિંહુજ તાંબે ખોડિયારપુરામાં પોતાની ભત્રીજી સાથે ગામના જ એક યુવકને પ્રેમ સંબંધ હોવાથી અવારનવાર મોબાઈલ પર વાત કરતો હતો. જેની અદાવત રાખીને ૪ શખ્સોએ યુવકની હત્યા કરી હતી. જેથી મહેમદાવાદ પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો નોંધીને નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
ઘટનાની વિગતો એવી છે કે, મહેમદાવાદના ખોડિયારપુરામાં જશુભાઈ રાઠોડ (૨૨)ને ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેઓ મોબાઈલ પર વાતો કરતા હતા.
જેની યુવતીના કાકા તથા ભાઈઓને જાણ થતાં ૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ સવારે ધનજી રાઠોડ તથા જશુભાઈ લાકડા કાપવાની મજૂરીએ જતા હતા તે સમયે અમરસિંહ, મહેશ, નાગજી અને અર્જુનસિંહ પ્રેમ સંબંધની અદાવત રાખીને જશુભાઈને મારવા દોડ્યો હતા. જેથી જશુ જીવ બચાવવા માટે એક મકાનમાં પેસી જઈને દરવાજાે બંધ કરી દીધો હતો. જાે કે, ચારેય શખ્સોએ દરવાજાે તોડીને અંદર ઘૂસીને જશુની ર્નિમમ હત્યા કરી હતી.
ઘટના અંગે ધનજી રાઠોડની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસને પૂરતા પૂરાવાઓ મળતા ચારેયને નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં નડિયાદ જિલ્લાના જજે સરકારી વકીલની દલીલોને ઘ્યાનમાં લઈને આવા ગુનાઓને અટકાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચારેયને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.
સુરતની પોસ્કો કોર્ટે ગુજરાતમાં રેપની ઘટનામાં સૌથી ઝડપી ટ્રાયલ ચલાવતા ૪ વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના ૨૯ દિવસમાં સજાનો ચુકાદો આપી દીધો. કોર્ટે રેપના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં પોલીસ અને ન્યાયતંત્રએ જે ઝડપે કામ કર્યું તેના બધા વખાણ કરી રહ્યા છે. કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂરી કરીને બુધવારે રાત્રે ૧૨ વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચલાવીને આરોપીને સજાનો ચુકાદો આપ્યો છે.SSS