Western Times News

Gujarati News

ગંગા ગંદી હોઈ યોગીએ તેમાં ડૂબકી ન લગાવી: અખિલેશ

લખનૌ, કાશી કોરિડોરના ઝાકઝમાળ ભર્યા લોકાર્પણ બાદ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનુ નિવેદન સામે આવ્યુ છે. અખિલેશે કહ્યુ હતુ કે, સીએમ યોગી જાણતા હતા કે, ગંગા નદી કેટલી ગંદી છે અને એટલે જ તેમણે ગંગામાં ડૂબકી મારી નહોતી.ભાજપે ગંગા નદીની સફાઈના નામે કરોડો રુપિયા વાપરી કાઢ્યા છે પણ સીએમ યોગીને વાસ્તવિકતા ખબર છે.

અખિલેશે સવાલ કર્યો હતો કે, ગંગાજી ક્યારે સાફ થશે.. ફંડની રકમ વપરાઈ રહી છે પણ નદીની સ્થિતિમાં ફરક પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, કાશી કોરિડોરના લોકાર્પણ પહેલા પીએમ મોદીએ ગંગા નદીમાં ડુબકી મારી હતી અને એ પછી તેમણે કાશી વિશ્વનાથ બાબાના દર્શન કર્યા હતા.

પીએમ મોદીના વારાણસી પ્રવાસ પર અખિલેશે કહ્યુ હતુ કે, એમ પણ માણસ પોતાનો અંતિમ સમય કાશીમાં પસાર કરતો હોય છે. અખિલેશના નિવેદનને ભાજપના નેતાઓએ શરમજનક ગણાવ્યુ હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.