રાજ્યમાં એક સાથે ૧૭૯ કોરોના કેસ નોંધાતા ચકચાર
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે વિકરાળ બનતો જઇ રહ્યો છે. રાજ્યમાં આજે એક સાથે ૧૭૯ કોરોના કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ ૩૪ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૨૩૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૬૮ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૮૧,૯૨૬ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૮૩૭ કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૨ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૮૨૫ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૮,૨૩૨ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૧૧૩ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.આજે કોરોનાને કારણે ૨ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
ચોંકાવનારી બાબત છે કે, બંન્ને મોત રાજકોટમાં જ થયા છે. જાે નવા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૬૧ કેસ, સુરત કોર્પોરેશન ૨૦, આણંદ ૧૮ વડોદરા કોર્પોરેશન ૧૪, રાજકોટ કોર્પોરેશન ૧૩, સુરત ૯, નવસારી ૫, બનાસકાંઠા-ખેડા ૪-૪, જુનાગઢ, કચ્છ, વલસાડમાં ૩-૩, અમદાવાદ, અમરેલી, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જુનગઢ, રાજકોટ, વડોદરા ૨-૨ કેસ નોંધાયા છે.
ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયા છે. એમિક્રોનનાં કુલ ૬ કેસ આજના દિવસમાં નોંધાયા છે.
જે પૈકી એક યુ.કેથી આવેલી ૨૨ વર્ષની યુવતીનો કેસ નોંધાયો છે. ૩ કેસ ખેડામાં લંડનથી આવેલા ૩૮ વર્ષના પુરૂષ, ૩૫ વર્ષની સ્ત્રી અને તેની ૧૦ વર્ષની બાળકીનો નોંધાયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨ કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી ચિંતાજનક બાબત છેકે બંન્નેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેથી હવે સરકાર સ્વિકારે કે ન સ્વિકારે પરંતુ કોરોનાનો એમિક્રોન વેરિયન્ટ પબ્લિક ટ્રાન્સમિશન મોડમાં આવી ચુક્યો છે. એટલે કે લોકોમાં ફેલાવાનો શરૂ થઇ ચુક્યો છે.SSS