Western Times News

Gujarati News

કોંગ્રેસ સાથે જોડાયેલા સેંકડો કોંગ્રેસી કાર્યકરોના કેસરિયા

મહેસાણા, જિલ્લામાં આજે ૨૦૦ થી પણ વધારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથે જાેડાયા હતા. જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનોએ આજે કમલમ્‌ ખાતે પહોંચીને કેસરિયા કર્યા હતા. મહામંત્રી રજની પટેલ, ગોરધન ઝડફિયાની આગેવાનીમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો.

મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર, બેચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા સહિત ૨૦૫ થી વધારે લોકોએ આજે કેસરિયા કર્યા હતા.

માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ પણ ભગવો ધારણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી ત્રણથી પણ વધારે પેઢીઓથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. જાે કે પક્ષમાં સતત વધતો જુથવાદ, અવગણના અને તેના કારણે પેદા થયેલા અસંતોષના કારણે આખરે તેમણે પક્ષ છોડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજસિંહ પણ ભાજપમાં જાેડાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ગુપ્ત મુલાકાત લીધી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત તેઓએ આજે ખુબ જ સુચક ટ્‌વીટ કરીને ફરી એકવાર રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેવામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો ખરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.