ભાજય સત્તામાં આવશે તો પેટ્રોલની કિંમત ૨૦૦ રૂપિયા પાર કરશેઃ અખિલેશ યાદવ
લખનૌ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે યુપીના ગોંડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓ ભાજપ પર આક્રમક દેખાયા હતા અને મોંઘવારી અંગે મોટું નિવેદન આપ્યું હતું. અખિલેશે કહ્યું કે જાે ભાજપ સત્તામાં આવશે તો પેટ્રોલની કિંમત ૨૦૦ રૂપિયાને પાર કરી જશે.
ગરીબોને એલપીજી સિલિન્ડરનું વિતરણ કરતી વખતે તેની કિંમત કેટલી હતી અને જુઓ હવે તેની કિંમત કેટલી છે? યોગીએ ક્યારેય લેપટોપનું વિતરણ કર્યું નથી કારણ કે તેમને લેપટોપ કેવી રીતે ચલાવવું તે આવડતું નથી. યુપીમાં મતદાનના હજુ ઘણા તબક્કા બાકી છે અને આ અંગે તમામ પક્ષો વચ્ચે રાજકીય હુમલાઓ ચાલી રહ્યા છે.
આ પહેલા અખિલેશે બહરાઈચમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરી હતી. આમાં તેમણે યોગી આદિત્યનાથનું નામ લીધા વિના જાેરદાર નિશાન સાધ્યું. અખિલેશે કહ્યું કે જે બીજેપી નેતાઓ ગરમી દૂર કરવાની વાત કરી રહ્યા હતા, તેઓ બીજા તબક્કાના મતદાન બાદ જ ઠંડા પડી ગયા છે. અખિલેશે કહ્યું કે બહરાઈચની આ જનમેદની જાેઈને તેમના ઘણા નેતાઓ અદૃશ્ય થઈ જશે.
આવી ચૂંટણી પહેલીવાર જાેવા મળી રહી છે, જ્યાં લોકો ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે જ્યારે મતદાન થશે ત્યારે ખબર નહીં પડે કે ભાજપ ક્યાં ગયો છે. ઉલ્લેખનીય છે કે, યુપીમાં ૪ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
હવે આગામી તબક્કાનો પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે. નેતાઓ એકબીજા પર જાેરદાર નિશાન સાધી રહ્યા છે. આ વખતે રાજ્યમાં ભાજપ અને એસપી આરએલડી ગઠબંધન વચ્ચે જાેરદાર મુકાબલો જાેવા મળી રહ્યો છે અને ત્રણ તબક્કાની ચૂંટણી બાદ તમામ પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. જાે કે ૧૦મી માર્ચે પરિણામ જાહેર થશે અને ત્યારબાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.HS