ભરૂચના ઉધોગોમાં બ્લાસ્ટ જેવી ઘટનામાં કંપનીના ફાયર સેફ્ટીના સાધનો પણ કામ નથી લાગતા?
ભરૂચ જીલ્લામાં ઉદ્યોગોમાં ફાયર noc ફરજીયાત હોય છે અને ફાયર એનઓસી લેવામાં પણ આવતી હોય છે પરંતુ જ્યારે કંપનીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે કંપની માં રહેલા ફાયર સેફ્ટીના સાધનો પણ કામે લાગતા નથી.ત્યારે કોઈપણ ઉદ્યોગ સ્થપાય તેમા કંપનીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેમાં ફાયર સેફ્ટીના સાધનો કામ લાગી શકે તેવા અદ્યતન સુવિધાવાળા ફાયર સેફ્ટીના સાધનો ની સુવિધા કરવામાં આવે તે પણ જરૂરી છે.ત્યારે ભરૂચ જીલ્લાના ઉધોગોમાં ફાયર સેફ્ટીની એનઓસી પણ તપાસ કર્યા વિના જ આપી દેવાથી હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.