Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્મામાં ખૂબ જલ્દી વાગશે પોપટલાલના લગ્નની શરણાઈ

મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ૧૪ વર્ષ પૂરા થઈ ગયા છે પરંતુ તેની પોપ્યુલારિટી સહેજ પણ ઓછી થઈ નથી. શરૂઆતથી અત્યારસુધીમાં ઘણીવાર પોપટલાલના લગ્ન થતાં-થતાં રહી ગયા હોવાનું દેખાડવામાં આવ્યું છે. માત્ર ગોકુલધામવાસીઓ જ નહીં પરંતુ દર્શકો પણ પોપટલાલ ક્યારે તેની વર્ષોથી રાખી મૂકેલી શેરવાની પહેરશે અને ઘોડીએ ચડશે તેની રાહ જાેઈ રહ્યા છે.

જાે કે, ખૂબ જલ્દી પોપટલાલની પત્નીની એન્ટ્રી થશે તેવી હિંટ આ પાત્ર ભજવી રહેલા એક્ટર શ્યામ પાઠકે પોતે આપી છે. શૈલેષ લોઢાની એક્ઝિટ બાદ નવા ‘તારક મહેતા’ તરીકે સચિન શ્રોફની એન્ટ્રી વખતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તે ખતમ થયા બાદ એક્ટરે આ વિશે વાત કરી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

તારક મહેતા ના ફેન પેજ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં શ્યામ પાઠક કહી રહ્યા છે ‘હાલ અસિત ભાઈએ તમને જણાવ્યું કે, નવા પાત્રો આવવાના છે અને જે સૌથી મહત્વનું છે તે છે શ્રીમતી પોપટલાલ. આ હું તમને કહી દઉ છું’. આ વીડિયોમાં ‘તારક મહેતા’ તરીકે સચિન શ્રોફનું સ્વાગત કરતાં તેમણે ઉમેર્યું ‘અમારી પુરુષ મંડળી છેલ્લા કેટલાક દિવસથી, અબ્દુલની સોડા શોપ પર સાંજે જ્યારે મળતી હતી ત્યારે એકલતા અનુભવતી હતી અને હવે અમારા મહેતા સાહેબ કામ પરથી પાછા આવી ગયા છે.

હવે અમે મઝા કરીશું. શોમાં જેઠાલાલના સાસુ અને પોપટલાલની પત્ની ક્યારે દેખાડવામાં આવશે તે સવાલનો જવાબ આપતાં પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે ‘ખૂબ જલ્દી જ બંને જાેવા મળશે. કારણ કે, મને પણ હવે તો પોપટલાલ પર દયા આવવા લાગી છે.

હવે તો પોપટલાલના લગ્ન તો થઈ જ જવા જાેઈએ. તેણે અત્યારસુધીમાં ઘણી છત્રીઓ બદલી નાખી, ઘણી મહેનત કરી લીધી. હવે હું ઈચ્છું છું કે તેના લગ્ન થઈ જાય. પરંતુ હું જ્યારે પર સર્વે કરું છું ત્યારે ૫૦-૫૦ આવે છે. કેટલાક કહે છે કે, પોપટલાલના લગ્ન ન કરાવો તે આમ જ સારો છે.

હવે ‘પોપટલાલ કી શાદી’નું અભિયાન ચલાવવું પડશે. ્‌સ્ર્દ્ભંઝ્રમાં એક પાત્ર એવું છે, જેને દર્શકો ઘણા સમયથી મિસ કરી રહ્યા છે અને તે છે ‘દયાભાભી’. દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગયા બાદ પાછી આવી નથી અને તેથી તેનું પાત્ર પણ ગાયબ છે. તેના પર આસિત મોદીએ કહ્યું હતું કે ‘દિશા મારા પરિવારના સભ્ય જેવી છે. તેના પ્રત્યે મને માન છે. પરંતુ તેની જવાબદારીઓ વધી ગઈ છે.

બે બાળકોની મમ્મી છે. હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ ચમત્કાર થાય અને તે કમબેક કરે. પરંતુ જાે તે નહીં આવે તો તમને વચન આપું છું કે નવી એક્ટ્રેસને લાવવામાં આવશે. કારણ કે હવે તો સ્ટોરીમાં પણ દેખાડવામાં આવ્યું છે કે દયા નહીં આવે તો જેઠાલાલ જળનો ત્યાગ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.