રાજપૂત સમાજ ગાંધીનગરની સંયુક્ત સભાની મીટીંગ મળી
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ અને રાજપૂત સમાજ ગાંધીનગરનો સંયુક્ત સભ્યોની બેઠક ગઈકાલે સમાજ ભવન ખાતે મળી હતી જેમાં પ્રમુખ રતનસિંહ વાઘેલા લગ્ન સમિતિના અધ્યક્ષ જસુભા પરમાર જણાવ્યું હતું કે ૨૫મું લગ્ન ઉત્સવ ૨૫ મી ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ કોલવડા મુકામે યોજાશે તે અંગે સ્થળ ની પસંદગી પણ કરી દેવામાં આવી છે વધુમાં વાઘેલા એ જણાવ્યું હતું કે સૌના સાથ સહકારથી ૨૫ મો લગ્ન ઉત્સવ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ એક કરોડ ઉપરાંત કરવામાં આવશે.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ગોલે જણાવ્યું હતું કે મારા દીકરા રાજદીપસિંહના તાજેતરમાં લગ્ન થયા તે પ્રસંગે આવેલ રૂપિયા ૭ લાખ ચાંદલો સમાજના સર્વાંગી વિકાસ માટે વાપરવામાં આવશે આ પહેલ કરતાં સૌ આગેવાનો એ ગોલને અભિનંદન પાઠવ્યા આ ઉપરાંત તેમના પુત્ર રાજદિપસિંહ ગોલે તેમના દાદીના સ્મરણાર્થી વધુ રૂપિયા ૫૦,૦૦૦ સમુહ લગ્ન પ્રસંગે આપવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત વિવિધ કારોબારી સભ્યોએ પણ સમૂહ લગ્નમાં ફાળો નોંધાવ્યો હતો લગ્ન સમિતિના અધ્યક્ષ જસુભા પરમાર રે ૨૫ માં લગ્ન મહોત્સવ ની રૂપરેખા આપી હતી.