કરાચીમાં ભીડે મસ્જિદ પર કર્યો હુમલો

પેશાવર,પાકિસ્તાનમાં પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ બાદ વધુ એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. કટ્ટરવાદીઓએ એક અહમદિયા મસ્જિદને નિશાન બનાવી છે. આ મામલો કરાચીનો કહેવામાં આવી રહ્યો છે
જ્યાં શુક્રવારે કટ્ટરપંથીઓના ટોળાએ મસ્જિદ પર હુમલો કર્યો અને તોડફોડ કરી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસના આગમન બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. હાલ હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.
ટિ્વટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં હેલ્મેટ પહેરેલા કેટલાક અજાણ્યા માણસો મસ્જિદના મિનારા તોડતા જાેઈ શકાય છે. ધ રાઇઝ ન્યૂઝે ટ્વીટ કર્યું, “કરાચીના હાશુ માર્કેટ સદરમાં કટ્ટરપંથીઓએ કાદિયાની પ્રાર્થના સ્થળ પર હુમલો કર્યો છે.” આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે
જેમાં કેટલાક લોકો પાકિસ્તાનના કરાચી શહેરમાં ખુલ્લેઆમ એક મસ્જિદના મિનારા તોડતા જાેવા મળી રહ્યા છે. જાેકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે પોલીસ ફોર્સ પણ હાજર હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તોડફોડ કરનારાઓ તહરીક-એ-લબૈક પાકિસ્તાનના સભ્યો છે અને જે મસ્જિદના મિનારાઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે તે અહમદી મસ્જિદ છે. Tehreek-e-Taliban Pakistan (TTP) has claimed responsibility for deadly suicide bombing in Peshawar.
તમને જણાવી દઈએ કે તહરીક-એ-લબૈક એ જ પાર્ટી છે જેના નેતા મૌલાના સાદ રિઝવી તાજેતરના એક વીડિયોમાં ઉશ્કેરણીજનક નિવેદન આપતા જાેવા મળ્યા હતા. રિઝવીએ કહ્યું હતું કે આપણે ‘એક હાથમાં કુરાન અને બીજા હાથમાં પરમાણુ બોમ્બ સાથે’ દુનિયાની સામે જવું જાેઈએ.
આખું બ્રહ્માંડ આપણા ચરણોમાં નમશે. ટીએલપી, પાકિસ્તાનની ઉગ્રવાદી પાર્ટી, ૧ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ મૌલાના ખાદિમ હુસૈન રિઝવી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. ૨૦૧૭ માં ટીએલપીએ ઔપચારિક રાજકીય પક્ષનું સ્વરૂપ લીધું.
એક મહિનામાં આ બીજી ઘટના છે. આ પહેલા કરાચીના જમશેદ રોડ પર સ્થિત અહમદી જમાતના ખાતાના મિનારા તૂટી ગયા હતા. ગયા સોમવારે પેશાવરની એક મસ્જિદમાં ભીષણ આત્મઘાતી હુમલો થયો હતો. આમાં ૧૦૧ લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ સામેલ છે.