Western Times News

Gujarati News

૭ લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ પર ૨૦ ટકા ટીસીએસ લાગશે

નવી દિલ્હી, આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થશે, આ સાથે આવતીકાલથી એટલે કે ૧લી ઓક્ટોબરથી વિદેશ પ્રવાસ પણ મોંઘો થઈ જશે. વાસ્તવમાં આવતીકાલથી વિદેશી ટૂર પેકેજ મોંઘા થવા જઈ રહ્યા છે. તે જ સમયે, વિદેશ પ્રવાસ માટે, ૭ લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ પર ૨૦ ટકા TCS ચૂકવવા પડશે.

તમને જણાવી દઈએ કે, હાલમાં ૭ લાખ રૂપિયાથી વધુના વિદેશી ટૂર પેકેજ પર ૫ ટકા TCS વસૂલવામાં આવે છે, જે આવતીકાલથી ૨૦ ટકા થઈ જશે. ઇમ્ૈં ની ન્ઇજી એટલે કે લિબરલાઈઝ્‌ડ રેમિટન્સ સ્કીમ હેઠળ, ૧ ઓક્ટોબર, ૨૦૨૩ થી વિદેશી રેમિટન્સ પર ૨૦ ટકા TCS ચૂકવવા પડશે. અગાઉ આ નિયમો ૧ જુલાઈથી લાગુ થવાના હતા, પરંતુ સરકારે આ માટે લોકોને ત્રણ મહિનાનો સમય આપ્યો છે અને ૧ ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે.

વિદેશ પ્રવાસના પૅકેજ પર લાદવામાં આવેલા TCSની વધુ અસર વિદેશ પ્રવાસના શોખીન લોકો પર પડશે. તેની સૌથી વધુ અસર તે લોકો પર પડશે જેઓ ટુર પેકેજ લઈને વિદેશ જતા રહે છે. રૂ. ૭ લાખથી વધુની કિંમતના ટૂર પૅકેજ પર ૨૦ ટકા TCS એટલે કે ટૅક્સ કલેક્ટેડ એટ સોર્સ ચૂકવવો પડશે.  ૭ લાખ રૂપિયાથી ઓછા ટૂર પેકેજ પર ૫ ટકા TCS ચાલુ રહેશે. એટલે કે જાે તમારું ટૂર પેકેજ રૂ. ૭ લાખથી ઓછું છે તો તમારા પર માત્ર ૫ ટકા TCS લેવામાં આવશે.

તમને જણાવી દઈએ તો સરકારના ટૂર પેકેજ પર ૨૦ ટકા TCSના ર્નિણયની અસર પ્રવાસન ઉદ્યોગ પર પડી શકે છે. ત્યારે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સરકારને વિદેશ પ્રવાસ પેકેજ પર ૨૦ ટકા TCS નાબૂદ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આના કારણે ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોને નુકસાન થશે.
આ ર્નિણયથી વિદેશમાં એજ્યુકેશન પર ૭ લાખ જેટલો ખર્ચ થશે તેનાથી વધુ નહી પરંતુ જૂના શાસનની જેમ, ૭ લાખ રૂપિયાથી વધુના તબીબી અને શિક્ષણ ખર્ચ પર ૫ ટકા TCS વસૂલવાનું ચાલુ રહેશે.

હાલમાં, RBIના LRS હેઠળ, રૂ. ૭ લાખથી વધુના વિદેશી રેમિટન્સ પર ૫ ટકા TCS વસૂલવામાં આવે છે. પરંતુ સરકારે તેને વધારીને ૨૦ ટકા કરી દીધો છે. અગાઉ, વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચને પણ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવ્યો હતો. પણ બેંકો અને કાર્ડ નેટવર્કની તૈયારીમાં વિલંબને કારણે સરકારે ક્રેડિટ કાર્ડ્‌સ પર TCS અંગેના ર્નિણયને થોડા સમય પુરતો મુલતવી રાખ્યો છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ ન્ઇજીમાં સામેલ છે પરંતુ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવતા ખર્ચ તેના કાર્યક્ષેત્રમાં આવતા નથી. આરબીઆઈએ સરકારને ઘણી વખત પત્રો લખીને વિદેશમાં ડેબિટ અને ક્રેડિટ પેમેન્ટ કરવામાં ભેદભાવ સમાપ્ત કરવા જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.