Western Times News

Gujarati News

ફોટો જર્નાલિસ્ટ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ઝવેરીલાલ મહેતાનું નિધન

60 વર્ષ સુધી મીડિયા જગતમાં કામ કરનાર ઝવેરીલાલ મહેતાને વર્ષ 2018માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ, ફોટો જર્નાલિસ્ટ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ઝવેરીલાલ મહેતાનું ગઈકાલે મોડી રાત્રે 97 વર્ષની વયે નિધન થયું છે. ઝવેરીલાલ દલપતરામ મહેતા એક પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા અને સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમનું મહત્વનું યોગદાન હતું.

ઝવેરીલાલ મહેતા એટલે ગુજરાતી ફોટો જર્નાલિઝમના પાયાના પથ્થર, દાયકાઓથી મહત્વની ઘટનાઓની તસ્વીરો સમાચાપત્રો થકી આપણા સુધી પહોંચાડનાર તેમનો કેમેરો આજે સુનો થઈ ગયો. જાણે ફોટો જર્નાલિઝમના એક યુગનો અંત થઈ ગયો.

ઝવેરીલાલ મહેતા હાલમાં તેમની પુત્રી કાનન જોશીના ઘરે રહેતા હતા. લગભગ 60 વર્ષ સુધી મીડિયા જગતમાં કામ કરનાર ઝવેરીલાલ મહેતાને વર્ષ 2018માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝવેરીલાલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘ગુજરાતના પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. અખબાર જગતમાં તેમની લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિસ્ટ ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… (અમદાવાદ) પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ પદશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન થયું, પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમની શ્રદ્ધાંજલિ ‘ઓમ શાંતિ’ આપી.

પીએમ મોદી ઉપરાંત ગુજરાતના અન્ય રાજકારણીઓ અને સેલિબ્રિટીઓએ પણ સ્વ.ને શ્રદ્ધાંજલિ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.