Western Times News

Gujarati News

એનટીઆરની ‘દેવરા’ને ટક્કર આપશે અરવિંદ સ્વામી

મુંબઈ, અભિનેતા કાર્થિ ‘૯૬’થી જાણીતા સી.પ્રેમ કુમાર સાથે એક ફિલ્મ ‘મૈયાઝગન’ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અરવિંદ સ્વામી પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મના પહેલાં પોસ્ટરને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જ્યોતિકા અને સૂરિયા દ્વારા આ રાજશેખર સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. હવે ‘મૈયાઝગન’ દ્વારા આ ફિલ્મની રિલીઝ ડેટ ૨૭ સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી છે.

તેનાથી ફૅન્સને પણ સરપ્રાઇઝ મળી છે. કારણ કે જુનિયર એનટીઆરની પેન ઇન્ડિયા રિલીઝ ‘દેવરા’ પણ આ જ દિવસે રિલીઝ થવાની છે. કાર્થિ તેલુગુ દર્શકોમાં ઘણા લોકપ્રિય છે, તેથી એવી શક્યતા છે કે આ જ દિવસે તેની ‘મૈયાઝગન’ તમિલ ભાષામાં પણ રિલીઝ થાય. રાજકિરણ, શ્રી દિવ્યા, સ્વાથિ કોંડે, દેવદર્શિનિ, જયપ્રકાશ, શ્રી રંજન, સરન અને રશેલ રેબેકા આ ફિલ્મમાં વિવિધ રોલમાં જોવા મળશે.

જ્યારે ગોવિંદ વસંથાએ આ ફિલ્મનું સંગીત આપ્યું છે. આ ફિલ્મ શિવગંગાના કુમ્બાકોનમમાં શૂટ થઈ છે. મૈયાઝગન ઉપરાંત જયમ રવિ અને પ્રિયંકા મોહનના ભાઈ પણ આ જ તારીખે ફિલ્મ રિલીઝ કરવા રાહ જોઈ રહ્યા છે. તેથી આ બંને ફિલ્મો વચ્ચે સ્ક્રિન વહેંચાઈ જવાની હરિફાઈ જોવા મળશે. ત્યારે આ બે ફિલ્મો સાથે ‘દેવરા’ કેટલું સારું કામ કરી શકે તે જોવાનું રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.