Western Times News

Gujarati News

અમિતાભ ક્યારેય પત્ની જયાના કોલનો જવાબ નથી આપતા

મુંબઈ, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું દામ્પત્ય જીવન અનેક ઉતાર-ચડાવ વચ્ચે વધારે મજબૂત બન્યું છે. ફિલ્મી જોડીઓમાં સફળતાનો પર્યાય મનાતા આ કપલે ૧૯૭૩માં લગ્ન કર્યા હતા. જયા બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડમાં પતિ અમિતાભ બચ્ચન સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.

કોલ દરમિયાન પતિ સાથે ટીખળ કરતાં જયા બચ્ચને કહ્યું હતું કે, તેઓ મારો કોલ તો ક્યારેય ઉપાડતા જ નથી. અમિતાભ બચ્ચન પોતાના કોલ ઈગ્નોર કરતાં હોવાનું જયાએ કહ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, હું દરેકને જણાવવા માગું છું. તેમની પાસે ૫-૭ ફોન છે.

આપણે તેમને કોલ કરીએ તો તે ક્યારેય જવાબ નથી આપતા. જયાની આ ટીખળ સાંભળીને ઓડિયન્સની સાથે દીકરી શ્વેતા અને દોહિત્રી નવ્યા ખડખડાટ હસી પડ્યા હતા અને તાળીઓથી હોલ ગૂંજી ઊઠ્યો હતો. જયાએ વધુમાં કહ્યું હતું કે, કોઈ ગંભીર ઘટના બને તો તે ઉપરથી અમને વઢે છે.

કોલ કેમ કર્યાે નહીં? ઘરે કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કેમ કહેતા નથી? નાનીમાની વાતમાં સૂર પુરાવતા નવ્યાએ જણાવ્યુ હતું કે, ફ્લાઈટમાં બો‹ડગ કરી લીધું છે, તેવો મેસેજ જયા મૂકે તો ગ્‰પમાં બધા સભ્યો તરત રિપ્લાય કરે છે. જ્યારે નાનાજીને જવાબ આપવામાં ચાર કલાક લાગે છે.

તેઓ છેલ્લે કહેશે, બહુ સરસ. જયાનું પ્લેન સલામત આવી ગયું. પત્ની અને દોહિત્રીએ એક સાથે કરેલા પ્રહારને રમૂજમાં વાળી લેતાં અમિતાભ બચ્ચને નિર્દાેષ ભાવે કહ્યું હતું કે, કદાચ નેટવર્કની સમસ્યા આવી હશે. બચ્ચન પરિવારની આ મીઠી દલીલે ઓડિયન્સને ખુશ કરી દીધું હતું અને થોડા સમય માટે પોતાના ફેવરિટ સ્ટારના અંગત જીવનમાં ડોકિયું કરવાની તક મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.