Western Times News

Gujarati News

ખોટમાં ચાલતી ADC બેંકને એક જ વર્ષમાં નફામાં લાવી દીધી ચેરમેન અમિતભાઈ શાહે

 નાના માણસની મોટી બેંકના મંત્રને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો

શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી ‘સહકાર સે સમૃદ્ધિ’ની દિશા મળી છે.

અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આજે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCનો સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ‘ યોજાયો હતો. Chairman Amitbhai Shah brought the loss-making ADC Bank to profit in a single year

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે – ધ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક પરિવારના સભ્યોને સેવાની શતાબ્દી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કેકોઇપણ સંસ્થા અનેક ઉતાર-ચડાવ જોઈને જ્યારે ૧૦૦ વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે કામ કરેતે સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષનો છેજેને અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક છેલ્લા ૧૦૦ વર્ષથી પૂર્ણ કરી રહી છે. 

ADC બેંક નાણાકીય વ્યવહાર ઉપરાંત અનેક સામાન્ય નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવીને સામાજિક ક્ષેત્રે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એટલા માટે જઆજે ADC – નાના માણસોની મોટી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ ADC બેંકની સફળ શતાબ્દીને અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતભરના ખેડૂતોના ઉત્કર્ષના ૧૦૦ વર્ષ ગણાવતા કહ્યું હતુ કેખેડૂતો અને સામાન્ય નાગરિકોને શાહુકારોના વિષચક્રમાંથી બચાવવા માટે વર્ષ ૧૯૨૫માં અમદાવાદ ખાતે એક નાની ઓરડીમાં શરૂ થયેલી ધ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-

ઓપરેટિવ બેંકે ૧૦૦ વર્ષમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. છતાં પણ આજે રૂ. ૧૭,૦૦૦ કરોડથી વધુનો બિઝનેસરૂ. ૧૦૦ કરોડનો નફોઅડધા ટકા કરતા પણ ઓછો NPA રેટ તેમજ આશરે રૂ. ૬,૫૦૦ કરોડના ધિરાણ સાથે ADC બેંક દેશની સૌથી વધુ નફો કરતી અગ્રણી જિલ્લા સહકારી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.

શ્રી શાહે ઉમેર્યું હતું કેગુજરાતના ખેડૂતો પાસે સામાન્ય વ્યવસ્થાનો અભાવ હતોદુકાળના પરિણામે આર્થિક તંગી હતી અને ખેડૂતો શાહુકારોના વિષચક્રનો ભોગ બનતા હતા. તેવા કપરા સમયે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાતમાં સહકારનો પાયો નાખવાની હાકલ કરી હતી. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલે શરૂ કરેલી સહકારિતા યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેગ આપ્યો છે. ગુજરાતમાં શરૂ થયેલું સહકારિતા અંદોલન આજે રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયું છે. જેના પરિણામે આવનાર ૧૦૦ વર્ષ દરમિયાન સહકાર ક્ષેત્રે દેશના નાગરિકોનું યોગદાન વધશેતેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ શ્યામજીકૃષ્ણ વર્માની જન્મ જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના જીવન પ્રસંગોને વાગોળતા કહ્યું હતું કેશ્યામજીકૃષ્ણ વર્મા આઝાદીની લડતના એક ઉત્કૃષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની અને સાચા દેશભક્ત હતા. તેમણે વિદેશમાં રહીને આઝાદીની ચળવળમાં વિશેષ યોગદાન આપ્યું હતું.

સહકારિતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ‘નાના માણસની મોટી બેંકના મંત્રને ADCએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. નાના વ્યક્તિએ સહકારી બેંકોના માધ્યમથી દેશના આર્થિક વિકાસમાં મોટું પ્રદાન આપ્યું છે. દેશમાં સહકારી માળખું વેર-વિખેર હતું ત્યારે સહકારી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવા દેશમાં ૭૦ વર્ષથી અલગ સહકારિતા મંત્રાલય સ્થાપવાની માંગ હતીતેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ મંત્રાલય સ્થાપીને પૂર્ણ કરી છે. આ નવીન મંત્રાલય કાર્યરત થવાથી ખેડૂતો-પશુપાલકોના હિતમાં સહકારી ક્ષેત્રે અનેકવિધ નીતિ વિષયક નિર્ણયો કરવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં આવતી અનેક અડચણો આ મંત્રાલય શરૂ થવાથી દૂર થઇ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેએક સમયે ખોટ કરતી ADC બેંક આજે સૌથી નફો કરતી સહકારી બેંક બની છે. સેવા સહકારી મંડળીઓ દ્વારા હાલમાં પેટ્રોલ પંપખાતર વેચાણ કેન્દ્રોસસ્તા અનાજની દૂકાનોપાર્લર જેવા અનેકવિધ નાના-મોટા વ્યવસાય શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે સહકારી ક્ષેત્ર માટે મોડેલ બાય-લોઝ તૈયાર કર્યા છે જેને તમામ રાજ્યો સ્વીકાર્યા છે. ડિજિટલ યુગમાં બેંકો અને સહકારી સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝ બની છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદાજે ૩૦૦ જેટલી યોજનાઓનો સીધો લાભ સહકારી ક્ષેત્રે મળતો થયો છે. પ્રથમવાર પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લાની તમામ સહકારી મંડળીઓના બેંક ખાતા સહકારી બેંકમાં ખોલાવીને દેશને નવો રાહ ચીંધ્યો છે જેનો આજે સમગ્ર દેશમાં અમલ થવા જઈ રહ્યો છે.

ADC બેંકે જ્યારે તેની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે અમદાવાદ-ગાંધીનગરના નાગરિકોના આરોગ્યપોષણ અને શિક્ષણના વિકાસ માટે સેવાનો યજ્ઞ શરૂ કરે જેમાંજરૂરી મદદ કરવાનું વિશ્વાસ અપાવતા મંત્રીશ્રી શાહે કહ્યું હતું. ADC તમામ સહકારી બેંકોનું તીર્થ સ્થાન‘ સાબિત થયું છે. RBIના નિયમ મુજબ પાંચ ટકા NPAની સામે ADC અડધા ટકા કરતાં પણ ઓછો NPA દર ધરાવે છે જે બેંક સંચાલકોની બેંકના થાપણદારો-સભાસદો માટેની નિષ્ઠા-પારદર્શિતા દર્શાવે છે. આપણે ADC બેંકને વધુ પારદર્શકસહયોગી અને જનસેવા માટેનું આદર્શ મોડલ બનાવું છે તેમ જણાવી સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ બેંકની શતાબ્દી ઉજવણી નિમિત્તે ચેરમેનવાઈસ ચેરમેન સહિત સૌ હોદ્દેદારો-સભાસદોને શુભેચ્છાઓ પાઠવી હતી.  

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં જણાવ્યુ કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સાથે સહકાર મંત્રાલયની બાગડોર પણ લોકલાડીલા સાંસદ અને યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. ભૂતકાળમાં એડીસી બેંકના ચેરમેન તરીકે અમિતભાઈનું વિઝનરી નેતૃત્વ મળ્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ વધુમા ઉમેર્યુ કેશ્રી અમિતભાઈ શાહે સતત છ વર્ષથી NPA વધતાં મોટી રકમના બૂકલોસમાં આવી ગયેલી ADC બેંકને પોતાની આગવી સૂઝકુનેહ અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચડાવી હતી. તેમજ વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક અમિતભાઈના નેતૃત્વના પ્રથમ વર્ષથી જ નફો કરવા લાગી હતી. એક સમયે જ્યારે માધુપુરા બેંક નબળી પડી ત્યારે સહકારી ક્ષેત્ર પરનો લોકોનો વિશ્વાસ ડગી ન જાય તેની પણ ખાસ તકેદારી અમિતભાઈ શાહ સાહેબે લીધી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

સહકારી ક્ષેત્રે શ્રી અમિતભાઈ શાહે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કેસહકારી બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળે તે માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન તથા બેંકોના ફંડનું સલામત રોકાણ જેવા અનેક ઉદાહરણરૂપ પગલાં અમિતભાઈના દિશાદર્શનમાં લેવાયા છે. તેમજ સહકાર ક્ષેત્રે કો-ઓપરેટિવ બેંકો સામે રહેલા પડકારોને તકમાં પલટાવીને દેશના સહકારી માળખાને નવી દિશા આપી હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કેસમગ્ર સહકારી સેક્ટર અમિતભાઈના દિશાદર્શનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ આગળ વધ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી ‘સહકાર સે સમૃદ્ધિ’ની દિશા મળી છે અને ગુજરાત તેમાં અગ્રેસર રહ્યું છે. સહકારિતા વચ્ચે સહકાર ‘કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવ’ની મુવમેન્ટથી સહકારી બેંકો વચ્ચેનો તાલમેલ વધ્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

ADC બેંકની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી પ્રસંગે બેંકના સૌ અગ્રણીઓ-હોદ્દેદારોને અભિનંદન પાઠવતાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સહકારથી સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત’’ના સૂત્રને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. વર્ષ ૧૯૨૫માં શરૂ થયેલી ADC બેંક એક વૃક્ષમાંથી આજે ૨૦૮ શાખાઓ સાથે વટવૃક્ષ બની છે. ADC બેંકનો વિકાસ આધુનિક વિચારધારાપારદર્શી વહીવટ અને પરિણામલક્ષી બેન્કિંગના સંકલ્પ સાથે થયો છે.

શ્રી વિશ્વકર્માએ ઉમેર્યુ હતું કે, ADC બેંકે આદર્શ બેંક તરીકેના તમામ પેરામીટર્સને પરિપૂર્ણ કરીરાજ્યની જિલ્લા સહકારી બેંકોમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી હરણફાળ ભરી છે. આજે ADC બેંક મોટું વટવૃક્ષ બની છે તેનો શ્રેય શ્રી અમિતભાઈના અથાગ પ્રયત્નો અને આગવી સૂઝને જાય છે. તેમણે વેપારી કુનેહથી બેંકનાં વહીવટને વેગવંતો બનાવ્યો. આ બેંકમાં અત્યારસુધીમાં ૨૧.૪૪ લાખથી વધુ નવા ખાતા ખોલાયા છે જેમાં અંદાજે રૂ. ૬,૧૮૮ કરોડની ડિપોઝીટ જમા છે.

ADC બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કેસહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહના સબળ નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર વિકાસનાં અનેક નવા સોપાનો સર કરી રહ્યું છે. તેમને સહકરિતા વિભાગ સંભાળ્યા બાદ ૫૪ જેટલા સુધારા કર્યા છે. ગુજરાતમાં કો-ઓપરેશન ઓવર કો-ઓપરેટિવ પહેલ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને મદદ મળી રહી છે.

આ પહેલ સહકારી ક્ષેત્રે નવો આયામ લખશે. બેંક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે  નિમિત્તે ૩૧ માર્ચ૨૦૨૫ સુધી એટલે કે૧૮૦ દિવસના વિશેષ સેવાયજ્ઞનું આયોજન હાથ ધરાયું છે. જેમાં આજુબાજુના ગામોમાં મેડિકલ કેમ્પરક્તદાન કેમ્પશૈક્ષણિક સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે. આ ઉપરાંત ADCના વાઈસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

ADC સાથે જોડાયેલા ૫૭૫ સેવા સહકાર મંડળીઓના સભાસદોને વોકરવ્હીલચેર અને ટ્રાઈસિકલ ઉપરાંત ૬૭૩ ભજન મંડળીઓને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકરૂપે વાદ્ય યંત્રો પણ આપવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ADC બેંકના વિશ્વાસ- સફળતાના ૧૦૦ વર્ષ નિમિત્તે બેંકની વિકાસગાથા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ,  ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીરાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયકપૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ અને પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાકેન્દ્રીય સહકારિતા સચિવ શ્રી આશિષ બુટાણી વિવિધ સહકારી બેંકના ડાયરેક્ટરશ્રીઓસહકાર ક્ષેત્રના અગ્રણીઓબેંકના કર્મચારીઓ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.