Western Times News

Gujarati News

ચાંગોદર ગામે સગર્ભા માતાઓ તેમજ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું

50 જેટલા દર્દીઓને કરાયું કિટ વિતરણ

કેન્દ્ર સરકારના ‘ટીબી મુક્ત ભારત’ તથા રાજ્ય સરકારના ‘સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક’ના મિશનના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ગામે જોખમગ્રસ્ત (વલ્નરેબલ) સગર્ભા માતાઓ અને ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું.

ચાંગોદર ગ્રામ પંચાયત તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર, ચાંગોદરના સહિયારા પ્રયાસોથી 38 જેટલી સગર્ભા માતાઓ તેમજ 12 જેટલા ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગામના સરપંચશ્રી તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.