કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરતા મુખ્યમંત્રી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ચોસાલામાં સ્થિત કેદારનાથ મંદિર ખાતે શિવલિંગને જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કેદારનાથ મંદિર એક પૌરાણિક શિવ મંદિર છે.
આ અવસરે શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર, પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ જસવંતસિંહ ભાભોર, અગ્રણી રત્નાકરજી સહિત અન્ય મહાનુભાવો પૂજામાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.