Western Times News

Gujarati News

ભગવાન શિવના પરમ ભક્ત કન્નપ્પાની દંતકથા પર આધારીત ફિલ્મ ૨૭ જૂને રીલીઝ થશે

૨૭ જૂને રિલીઝ થશે વિષ્ણુ માંચુની ‘કન્નપ્પા’

પહેલાં પણ જાહેર થઈ ગયું છે એમ આ ફિલ્મ ભગવાન શિવના પરમ ભક્ત કન્નપ્પાની દંતકથા પર આધારીત છે

‘કન્નપ્પા’નો રન ટાઈમ ૩ કલાકથી વધુ હશે

મુંબઈ,વીએફએક્સની મહત્વની હાર્ડ ડિસ્કની ચોરી અને પારિવારિક વિવાદો બાદ અંતે હવે વિષ્ણુ માંચુની ફિલ્મ ‘કન્નપ્પા’ આખરે ૨૭ જૂને રીલીઝ થઈ રહી છે અને આ ફિલ્મનો રન ટાઇમ ૩ કલાક અને ૧૦ મિનિટ છે. મોટા બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ સાથે બનેલી આ ફિલ્મ અક અનોખો સિનેમેટિક અનુભવ હોવાનો ટીમનો દાવો છે.

છેલ્લાં થોડા વખતમાં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મમાં મોટા બજેટની ફિલ્મો પણ ઘણી લાંબી હતી, એ જ ટ્રેન્ડમાં આ ફિલ્મ પણ ઘણી લાંબી હશે. પહેલાં પણ જાહેર થઈ ગયું છે એમ આ ફિલ્મ ભગવાન શિવના પરમ ભક્ત કન્નપ્પાની દંતકથા પર આધારીત છે. તેમાં ટોપ પ્રોડક્શન વેલ્યુ સાથે મોટી કાસ્ટ પણ છે. એવું કહેવાય છે કે જો આ ફિલ્મ ચાલી ગઈ તો ભવિષ્યમાં આ જોનરની ફિલ્મ માટે આ ફિલ્મ એક મહત્વનો વળાંક લઈને આવશે.

આ ફિલ્મમાં મહોન બાબુ, અક્ષય કુમાર, મોહનલાલ, પ્રભાસ, સરથકુમાર, કાજલ અગ્રવાલ અને પ્રિતિ મુકુંદન મહત્વનાં રોલમાં છે. વિષ્ણુ માંચુ માત્ર લીડ રોલમાં જ નથી, પરંતુ તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે. મુકેશ કુમાર સિંઘે આ ફિલ્મ ડિરેક્ટ કરી છ અને ૨૪ ળેમ્સ ફેક્ટરી બેનરમાં મોહન બાબુએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

કન્નપ્પા જોવા માટે જેટલી ભવ્ય ફિલ્મ હશે એટલી જ આ ફિલ્મ ભાવનાત્મક પણ છે.આ ફિલ્મનું સંગીત સ્ટીફન દેવાસી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે તેમજ શેલ્ડન ચાઉએ સિનેમેટોગ્રાફી કરી છે. આ ફિલ્મ ઓડિયો વિઝ્યુઅલી વૈભવી હશે તેવા દાવાને કારણે ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે કે આ ફિલ્મ પણ કન્નપ્પા પણ સાઉથની પૅન ઇન્ડિયન બ્લોકબસ્ટર રિલીઝની યાદીમાં જોડાઈ શકે.SS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.