અમ્બિકા વિદ્યાલયમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

અમદાવાદ, અમદાવાદની અમ્બિકા વિદ્યાલયમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની યાદમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટનાથી સમગ્ર શાળા પરિવાર ગમગીન બની ગયો છે.
શાળાના પ્રાંગણમાં યોજાયેલી આ શોક સભામાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સભામાં દિવંગત મૃતકોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
સભાના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભગવાન પાસે દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.