ઇન્ડિગો એરલાઈન્સને થયું ૨,૫૮૨.૧૦ કરોડનું નુકસાન
File Photo
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મજબૂત રિકવરી જોવા મળી
ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નાણાકીય વર્ષ ૨૩ ના બીજા ત્રિમાસિક ગાળામાં એરલાઇનને રૂપિયા ૯૮૬.૭ કરોડનું નુકસાન થયું હતું
નવી દિલ્હી,ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા ૨,૫૮૨.૧૦ કરોડનું નુકસાન થયું છે. આ નુકસાન મુખ્યત્વે વિદેશી ચલણમાં વધઘટને કારણે થયું હતું. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નાણાકીય વર્ષ ૨૩ ના બીજા ત્રિમાસિક ગાળામાં એરલાઇનને રૂપિયા ૯૮૬.૭ કરોડનું નુકસાન થયું હતું.
આ અંગે ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે પરિણામો પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ચલણની વધઘટને બાદ કરતાં, એરલાઇનની ટોચની આવકમાં ૧૦ ટકાનો વધારો થયો છે. વર્ષની શરૂઆતમાં પડકારો હોવા છતાં જુલાઈમાં પરિસ્થિતિ સ્થિર થઈ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મજબૂત રિકવરી જોવા મળી. તેમજ વધતી માંગને પહોંચી વળવા માટે ઇન્ડિગોએ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે તેના ક્ષમતા માર્ગદર્શનમાં વધારો કર્યાે છે.
ઇન્ડિગોએ અહેવાલ આપ્યો છે કે ચલણમાં વધઘટ જેમાં ડોલર રૂપિયાની વધઘટની અસર સિવાય કંપનીનું પ્રદર્શન ખૂબ મજબૂત રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂપિયા ૧૯,૫૯૯.૫ કરોડ હતી. જે ગત વર્ષના રૂપિયા ૧૭,૭૫૯ કરોડની આવક કરતા વધુ છે. સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ઇન્ડિગોએ સ્થાનિક બજારમાં તેનો ૬૪.૩ ટકા હિસ્સો જાળવી રાખ્યો હતો. આ જાહેરાત બાદ એરલાઇનના શેર બીએસઈ પર ૧ ટકાથી વધુ ઘટીને રૂપિયા ૫,૬૩૫ પ્રતિ શેર પર બંધ થયા હતા.ss1
