કાંકરિયા કાર્નિવલ 2025: ‘નો પાર્કિંગ ઝોન’, ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ અંગેનું જાહેરનામું
અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ ઉત્સવ’ સંદર્ભે શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ‘નો પાર્કિંગ ઝોન’, ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ અંગેનું જાહેરનામું બહાર પડાયું
પોલીસ કમિશનર અમદાવાદ શહેરના હુકમ ક્રમાંક: ગ/ ઉપક/ટ્રાફીક/૪૬/૨૦૨૫ હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ ના નિયમ-૨૦૭ મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી કરવામાં આવનાર છે.
આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમજનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી થાય અને સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર નીચે જણાવેલ વિસ્તારને “નો પાર્કીંગ ઝોન” તથા “નો સ્ટોપ ” તથા “નો યુ ટર્ન “ જાહેર કરવા હુકમ કરૂ છું.
(૧) કાંકરીયા ચોકી ત્રણ રસ્તા થઇ રેલ્વે યાર્ડ થઇ ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પીટલ ચાર રસ્તા,મચ્છી પીર ચાર રસ્તા થઇ પુષ્પકુંજ સર્કલ થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી થઇ પરત કાંકરીયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરીયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઇ પણ પ્રકારના વાહનો સ્ટોપ થઇ શકશે નહી. વળી તમામ વાહનો નિર્ધારીત પાર્કીંગ જગ્યા સિવાય બીજી કોઇ પણ જગ્યાએ પાર્ક થઇ શકશે નહી.
(૨) સમગ્ર કાંકરીયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતા કોઇ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહી. આ સમગ્ર વિસ્તારને “નો યુ ટર્ન” ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
(૩) તેમજ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર નાઓના આમુખમાં નિર્દીષ્ટ કરેલ જાહેરનામાઓથી શહેરમાં અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક ૮.૦૦ થી રાત્રી કલાક ૦૧.૦૦ સુધી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
દાણીલીમડા ચાર રસ્તા થઇ શાહ આલમ થઇ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ, ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઇ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ, મણિનગર રેલ્વે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઇ કાંકરીયા તરફ આવતો રોડ, કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન થઇ કાંકરીયા તરફ આવતો રોડ, રાયપુર દરવાજા થી બીગબજાર થી પારસી અગિયારી ચાર રસ્તા થઇ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ, ગુરુજી બ્રિજથી આવકારહોલ ચાર રસ્તાથી હિરાભાઇ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઇ કાંકરીયા તરફ આવતો રોડ.
અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨૫/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
