૩ ડેવલપર્સે બિહારના ૧૫૦ કુશળ શ્રમિકોને પરત લાવવા આખી ફ્લાઈટ બુક કરાવવાની તૈયારી કરી

પ્રતિકાત્મક
વતન જતા રહેલા શ્રમિકો માટે સ્થાનિક માલિકોનાં હવાતિયાં
ચેન્નાઈ, શહેરો, ટાઉનશીપ અને કૃષિ ક્ષેત્રે કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન પાછા ફર્યા છે. અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટે તેમની તાતી જરૂર છે. થોડા અઠવાડિયા પહેલા જ હિજરત કરી ગયેલા શ્રમિકોને પરત બોલાવવા માટે ધંધા-રોજગારના માલિકો કંઈપણ કરી છૂટવા તૈયાર છે. ચેન્નૈના ત્રણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ કુશળ શ્રમિકોને પરત બોલાવવા માટે આખી ફલાઈટ બુક કરાવવા તૈયાર છે. આ ત્રણેય ડેવલપર્સે ૧૫ જૂન પછી બિહારના ૧૫૦ કુશળ શ્રમિકોને પરત લાવવા આખી ફ્લાઈટ બુક કરાવવાની તૈયારી કરી છે. ક્રેડાઈની તમિલનાડુની શાખા રાજ્ય સરકાર સાથે વાતચીત કરી રહી છે જેથી શ્રમિકોને તેમના ઘરેથી પરત બોલાવી શકાય.
તો આ તરફ બિહારના દરભંગાથી ૫૦ મજૂરોને કામ પર પરત લાવવા માટે પંજાબના ભટિંડા જિલ્લાના ખેડૂતે બસ ત્યાં મોકલી હતી. લુધિયાણાના ખેડૂતે પણ હરિપુર ગામમાંથી ૩૦ મજૂરોને પરત લાવવા માટે બસ મોકલી હતી. કેરળમાં કસ્ટ્રક્શન લેબરને ઊંચી મજૂરી મળતી હોવાથી બંગાળ જેવા રાજ્યોમાંથી શ્રમિકો આવે છે. રાજ્ય સરકારે પરપ્રાંતિય શ્રમિકો માટે આવાસ નામની યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત આવતા દરેક શ્રમિકને ૨૫૦૦૦ સુધીની મેડિકલ સારવાર સરકારી હોÂસ્પટલોમાં નિઃશુલ્ક મળે છે.
જા કોઈ શ્રમિકનું અવસાન ક્વચ હેઠળ થાય તો તેના કુટુંબને ૨ લાખ રૂપિયા મળે છે. આટલું જ નહીં, કેરળના દરેક જિલ્લાઓમાં પરપ્રાંતિય શ્રમિકો માટે અપના ઘર હાઉસિંગ કોમ્પલેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પલક્કડમાં તો આ પ્રકારના મકાનો તૈયાર પણ થઈ ગયા છે. જ્યારે એર્નાકુલમ, કોઝીરોડ અને તિરુવનંતપુરમાં બાંધકામ શરૂ થવાની તૈયારીમાં છે. આ તરફ મુંબઈના મુખ્ય શહેરી વિસ્તારોના બિલ્ડરો કસ્ટ્રક્શન મજૂરોને ફોન પર ગામડાંઓથી પરત આવવાની વિનંતી કરી રહ્યા છે. નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉÂન્સલ (પશ્ચિમ વિસ્તાર)ના ઉપ પ્રમુખ રાજન બાંદેલકરે જણાવ્યું, “કોન્ટ્રાક્ટરો અને સિનિયર એÂન્જનિયરો શ્રમિકોને સીધો સંપર્ક કરી રહ્યા છે. સાથે જ તેમને સુરક્ષા અને સલામતીની ખાતરી આપી રહ્યા છે.”
ગુરુવારે ૫૦ વર્ષીય બળવંત સહાનીએ યુપીના ગોરખપુર રેલવે સ્ટેશન પર મુંબઈ જતી લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનમાં બેસતાપહેલા સ્ક્રીનિંગ કરાવ્યું હતું. લગભગ મહિના પહેલા તેઓ ચાર દિવસ સુધી ચાલતા અને ટ્રકમાં મુસાફરી કર્યા બાદ મુંબઈથી કુશીનગર Âસ્થત પોતાના ગામ પહોંચ્યા હતાં. મુંબઈ-પૂના એક્સપ્રેસ વે પર આવેલા એક ઓટોમોબાઈલ સ્પેર યુનિટમાં ગેસ કટર તરીકે કામ કરતાં બળવંત સહાનીએ જણાવ્યું કે, અમારી ફેક્ટરીમાં હવે કામ શરૂ થઈ ગયું છે.
મને પરત આવવા માટે મેનેજમેન્ટ તરફથી ફોન આવ્યો હતો. રોજગારી મેળવવા પાછું જવું એ જાખમ ખેડવા સમાન છે. કારણ કે કોરોના મહામારી હજી પૂરી થઈ નથી. એવા ઘણા મુસાફરો છે જે ફરીથી કામ અર્થે મુંબઈ આવવા ટ્રેનોની રાહ જાઈ રહ્યા છે. ગોરખપુરથી ત્રણ ટ્રેનો અને લખનૌથી એક ટ્રેનની ઉપડવાની રાહ શ્રમિકો જાઈ રહ્યા છે. તેમની કહાણીઓ પણ કંઈક આવી જ છે.
ગોરખપુરમાં પત્ની અને પુત્ર સાથે બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની રાહ જાતા શેષનાથ સહાનીએ જણાવ્યું કે, અમારા ફેક્ટરી માલિકે જણાવ્યું કે, ૧૪ દિવસનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય તેના બીજા જ દિવસથી કામ પર પાછા જાડાઈ શકીશું. શેષનાથ સહાની બેગ ફેક્ટરીમાં કામ કરે છે. મુંબઈના શ્રમ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, હાલ મહારાષ્ટ્રમાં ૫૪૦૦૦ યુનિટ્સ તેમની ક્ષમતા મુજબ કામ કરી રહ્યા છે. આ યુનિટોમાંથી લગભગ ૮૦૦૦માં ૨૦થી વધુ કામદારો દરેકમાં છે.