Western Times News

Gujarati News

નેપાળના વડાપ્રધાન ભારતની સાથે વાત કરવા મજબૂર બન્યા

૪ મહિનાથી ભારત-નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો બાદ પહેલીવાર મોદીને ફોન કરીને વાતચીત કરી

કાઠમંડૂ, ખુરશી બચાવવા ચાઇનાના રાજદૂતના ઇશારા પર એક પછી એક ભારત વિરોધી પગલા ભરનારા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પીએમ મોદીને ૭૪મા સ્વતંત્રતા દિવસ પર તેમને અભિનંદન પાઠવ્યા. બંને નેતાઓએ કોરોના વાયરસ મહામારીના કારણે ઉદભવેલી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. નિષ્ણાંતોના મતે ભારત સરકારના કડક વલણ અને નેપાળમાં વધતા આંતરિક દબાણને કારણે ઓલીને લગભગ ૪ મહિના બાદ વડા પ્રધાન મોદી સાથે વાત કરવાની ફરજ પડી હતી. નેપાળી અખબાર કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે છેલ્લાં કેટલાંય મહિનાઓથી તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે વાતચીતની પહેલ નેપાળ તરફથી કરવામાં આવી હતી.

ભારતના રાજચિન્હ, અયોધ્યા, સરહદ વિવાદ જેવા અનેક મુદ્દાઓ પર ઝેરીલા નિવેદનો આપનારા ઓલીએ પીએમ મોદી સાથે વાતચીતમાં કહ્યું કે નેપાળ ભારત અને નેપાળની વચ્ચે સાર્થક સહયોગને લઇ આશાવાન છે. બંને નેતાઓની વચ્ચે છેલ્લી વાતચીત એપ્રિલમાં થઈ હતી. ઓલીના વિદેશી બાબતોના સલાહકાર રાજન ભટ્ટરાય એ બંને દેશોના વડાપ્રધાનો વચ્ચેની વાતચીત છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા ગતિરોધના સમાપ્તિના સંકેત ગણાવ્યા. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે ૮મી મેના રોજ લિપુલેખામાં કૈલાસ માનસરોવરને જોડતા રસ્તાનું ઉદઘાટન કર્યા બાદ નેપાળ ભડક્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળ સરકારે ચીનના રાજદૂતના કહેવા પર દેશનો નકશો રજૂ કર્યો હતો. તેમાં ભારતીય વિસ્તારો કાલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાને નેપાળનો ભાગ ગણાવ્યો હતો.

એટલું જ નહીં, નેપાળી વડાપ્રધાન ઓલીએ ચીનને ખુશ કરવા માટે કોઈ પુરાવા વિના આરોપ લગાવ્યો કે નવી દિલ્હીમાં તેમની સરકાર ગબડાવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. પોતાની પાર્ટીમાં ખળભળાટ મચાવ્યા બાદ ઓલીએ  કહ્યું કે એક દૂતાવાસ મારી સરકાર વિરુદ્ધ હોટલમાં કાવતરું ઘડી રહ્યું છે. ઓલીએ કહ્યું કે ભલે તેમને પદ પરથી હટાવવાની રમત શરૂ થાય પરંતુ તે અશક્ય છે. આ નિવેદન પછી ઓલી ખરાબ રીતે પોતાની જ કમ્યુનિસ્ટ પાર્ટીમાં ખરાબ રીતે ઘેરાયા હતા. નેપાળના નેતા પુષ્પા કમલ દહલે ઓલીને ભારતનું નામ ઘસેડવા બદલ બરાબર ધમકાવ્યા અને કહ્યું હતું કે ખુરશી છોડવાની માંગ તેમણે કરી હતી નહીં કે ભારતે. એટલું જ નહીં ઓલીએ ભારતથી નેપાળમાં આવતા કોરોના વાયરસના કેસોને ચીન કરતા વધુ જીવલેણ ગણાવી દીધા. ઓલી અહીંથી અટકયા નહીં અને દાવો કર્યો કે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે જ્યારે અસલી અયોધ્યા નેપાળમાં છે.

નેપાળી વડાપ્રધાનના આ નિવેદનથી તેમનો ઉગ્ર વિરોધ માત્ર ભારતમાં જ નહીં પણ નેપાળની અંદર પણ શરૂ થયો. છેલ્લા ઘણા મહિનાઓથી ભારત વિરોધી પગલા લઈ રહેલા નેપાળી વડાપ્રધાનના સૂર હવે બદલાયા છે. હવે તે ભારત સાથે વાટાઘાટો કરવા શક્ય તેટલું બધું કરી રહ્યા છે. એટલું જ નહીં ભારત સરકારના આકરા વલણ પછી નેપાળની ઓલી સરકાર છેલ્લા ઘણા દિવસોથી નિષ્ણાંતોના સૂચનો લઈ રહ્યા છે ભારત સાથે વાતચીત કરી તેને કેવી રીતે મનાવું. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગોવાલીએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે ઘણા પૂર્વ મંત્રીઓ, રાજદ્વારીઓ અને નિષ્ણાતોની સલાહ લીધી છે.

આ સમય દરમ્યાન મોટાભાગના નિષ્ણાતોએ તેમને ભારતની સાથે સીધો સંવાદ કરવાનું સૂચન કર્યું હતું. કાઠમંડુ પોસ્ટે સરકારી સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ઓલી સરકાર દ્વારા નવો નકશો બહાર પાડવામાં આવતા સરહદ વિવાદનો મુદ્દો વધુ જટિલ બની ગયો છે. તેમણે કહ્યું કે આ વાતચીતની રીતને વધુ ગૂંચવાયો. નામ ના લખવાની શરતે એક નેપાળી રાજદ્વારીએ કહ્યું કે વિદેશમંત્રી જ્ઞવલી આમ તેમ વાતચીત કરવાની જગ્યાએ પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકરની સાથે સીધી ફોન પર વાતચીત કરી લે. એટલું જ નહીં પીએમ ઓલી પણ પડદા પાછળથી ભારત સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કાઠમાંડુ પોસ્ટના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે પીએમ ઓલી અને તેમના સલાહકારોએ શાસક ભાજપના નેતાઓ રામ માધવ, વિજય જોલી અને આરએસએસ સાથે સંપર્ક કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સાથે ફરી સંપર્ક કરી ઓલી અને તેમની સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ સરકાર વૈકલ્પિક રસ્તો શોધી રહી હતી. ઓલી સરકારે પણ પડદાની પાછળથી નેપાળી સેના દ્વારા ભારત સાથેના સરહદ વિવાદ પર વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં નેપાળ અને શાસક પક્ષના ઘણા વિપક્ષી નેતાઓ ભારત સાથેના સંબંધો સુધારવા માટે સરકાર ઉપર દબાણ લાવી રહ્યા હતા. આખરે ચારે બાજુથી નિરાશા મળ્યા બાદ ઓલીને પીએમ મોદીને ફોન કરવાની ફરજ પડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.