Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સરકારી કામગીરી શરૂ થશે, 19 ઓગસ્ટથી શાળાઓ ખુલી જશે

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓને કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, પ્રતિબંધોમાં રાહતની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. આ અગાઉ ગુરુવારે રાજ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્યપાલ સત્યપાલ મલિકે ગુરુવારે સાંજે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરકારી સચિવાલય અને અન્ય કચેરીઓમાં સામાન્ય કામગીરીને પુન: સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર જુમ્માની નમાઝ દરમિયાન પરિસ્થિતિ પર નજર રાખશે અને તેના આધારે સામાન્ય લોકો માટે રાહતનો વિચાર કરવામાં આવશે.

આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના બની નથી. 30૦ દિવસના ટૂંકા ગાળામાં પણ 3.30 લાખથી વધુ યાત્રાળુઓ પવિત્ર અમરનાથની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.