Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં પરિણીતાની સ્યુસાઈડ નોટ મળતા સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમરાઈવાડીમાં થોડા દિવસો અગાઉ પરીણીતાએ પોતાનું જીવન ટૂંકાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધ રી છે. જા કે તપાસ બાદ સાસરીયાઓના ત્રાસથી મહિલાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવતા તેની માતાએ સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

મધુબેન રાઘવરાય તિવારી (સુરત)ની પુત્રી ભાવનાના લગ્ન ર૦૦૭માં રામરાજ પારસનાથ તિવારી સાથે થયા હતા. જેનાથી ભાવનાને બે પુત્ર થયા હતા. જાડા સમય અગાઉ ભાવનાએ આઘાત કર્યો હોવાની જાણ થતાં મધુબેન તથા પરિવાર અમદાવાદ ખાતે આવ્યો હતો. અને દિકરીની અંતિમવિધિ કરી હતી. દરમ્યાનમાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમ્યાન પોલીસને ભાવનાએ મૃત્યુ અગાઉ લેખલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પતિ, બે નણંદ તથા બે નણંદોઈ તેને પરેશાન કરતાં હોવાનું જણાવ્યુ હતુ. આ સુસાઈડ નોટ મળતા જ મધુબેને દિકરી ભાવનાના સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.