Western Times News

Gujarati News

ઈશાંત શર્મા મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ભાવુક થયો

અમદાવાદ, મેજબાન ભારત અને ઇંગ્લેડ વચ્ચે બુધવારે અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ મેચ રમ હતી. આ ડે-નાઇટ મેચ મોટેરા સ્ટેડિયમમાં યોજાઈ હતી, જે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ મેચ ઘણા પ્રકારે ઐતિહાસિક બનવા જઇ રહી છે. ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન લઇને વિરાટ કોહલી માટે આ મેચ તેમના કેરિયરના માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

જેમકે જાે ઇશાંત શર્મા ઇલેવનમાં સ્થાન મળતા તેમની ૧૦૦મી ટેસ્ટ છેે. ઇશાંત શર્માએ આ મેચ પહેલાં રવિચંદ્રન અશ્વિન સાથે વાતચીતમાં ખુલાસો કર્યો. એમએસ ધોનીને લઇને તેમનો ખુલાસો રસપ્રદ અને ભાવુક કરનાર છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ પોતાના યૂટ્યૂબ ચેનલ પર ઇશાંત શર્માની વાત કરી. આ વાતચીત ઇશાંતના કેરિયર પર ફોકસ રહી.

અશ્વિને ઇશાંતે કહ્યું કે તે જાણે છે કે તમે ધોનીને સારા કેપ્ટન માનો છો. તમારા કેરિયરમાં તેમનું યોગદાન પણ રહ્યું છે. તમે તેમની ટેસ્ટ મેચથી સંન્યાસના સાક્ષી રહ્યા છો. ધોની અને તમારા સંબંધ વિશે કેટલીક વાતો જણાવો. તેના પર ઇશાંત શર્માએ જણાવ્યું કે હાં આ સત્ય છે કે તે મેચમાં રમ્યો હતો, જે માહી ભાઇની અંતિમ ટેસ્ટ હતી.

તે મેચ દરમિયાન મારા ઘૂંટણમાં દુખાવો હતો અને હું દરેક સેશનમાં ઇંજેક્શન લઇ રહ્યો હતો. અમે એ પણ જાણતા ન હતા કે ધોની ભાઇની અંતિમ ટેસ્ટ મેચ છે. કદાચ તે મેચનો ચોથો દિવસ હતો અને ઓસ્ટ્રેલિયા પોતાની ઇનિંગ જાહેર કરવાની હતી. ત્યારે હું માહી ભાઇ પાસે ગયો અને કહ્યું હતું કે હવે વધુ ઇંજેક્શન લગાવવા નહી પડે.

ધોનીએ કહ્યું કે ઠીક છે હવે તું બોલિંગ કરીશ નહી. પછી કંઇક થયું તો તેમણે મને કહ્યું કે લંબૂ તે મને મારી અંતિમ ટેસ્ટૅ મેચમાં વચ્ચે છોડી દીધો. ઇશાંત શર્માએ કહ્યું કે ધોની આ વાત આજે પણ મને યાદ આવે છે. અશ્વિને કહ્યું કે કદાચ એવું એટલા માટે થયું કારણ કે કોઇપણ એ જાણતું નથી કે આ ધોનીની અંતિમ મેચ હતી. તેનાપર ઇશાંતે કહ્યું કે ‘હા આ સાચી વાત છે,

પરંતુ ધોની એક-બે ટૂર પહેલાં આવો ઇશારો આપવા લાગ્યા હતા. ધોની કહે છે કે તે ૧૦૦ ટેસ્ટ મેચ રમવા માંગતા નથી. એકવાર ઇગ્લેંડ પ્રવાસ પર તેમણે કહ્યું કે આગામી ટેસ્ટ મેચ સીરીઝ ભારતમાં છે અને તેના માટે રિદ્ધિમાન સાહાને તૈયાર કરવો જાેઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.