Western Times News

Gujarati News

SVP હોસ્પીટલમાં ‘મા કાર્ડ’ના દર્દીઓના નામે ચાલી રહેલું કૌભાંડઃ એપોલો ફાર્મસી શંકાના દાયરામાં

File

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સાત મહીના અગાઉ લોકાર્પણ કરવામાં આવેલ જીફઁ હોસ્પીટલ હજી પૂર્ણ કાર્યરત થઈ નથી. પરંતુ ખાનગી કોન્ટ્રાકટરો ની બેદરકારી અને દાદાગીરી ૧૦૦ ટકા અમલી થઈ રહી છે. રાજય સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં દર્દીઓને પારાવાર તકલીફ થઈ રહી છે.

તેમજ મા કાર્ડના દર્દીઓના નામે ખોટી રકમના બિલો બનાવવા તેમજ ઓછી દવા આપી પૂરી રકમના બીલો રજૂ કરી તગડી રકમ વસૂલ કરવાનું કૌભાડ ચાલી રહ્યુ હોવાનું ચોકાવનારી વિગતો બહાર આવી છે જેમાં હોસ્પિટલમાં એપોલો ફાર્મસી સામે આગળી ચીધાઈ રહી છે જેના કારણે એપોલો ફાર્મસીને મોટી પેનલટી કરવા માટે વિચારણા ચાલી હોવાની ચર્ચાે ચાલી રહી છે.

મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ ને નામશેષ કર્યા બાદ રૂ.૭૦૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલી SVP હોસ્પીટલમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને સુવિધા મળશે તેવી નાગરીકો ને આશા હતી તથા મ્યુનિ.કમીશ્નર અને શાસકો દ્વારા તે મતલબ ના દાવા પણ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પીટલ લોકાર્પણ ના સાત મહીનામાં જ મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકપક્ષના દાવાનું પ્રિ-મોન્સુન પ્લાનની જેમ ધોવાણ થઈ રહયું છે.

રાજય સરકારે શ્રેષ્ઠ હોસ્પીટલ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે. પરંતુ મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકપક્ષમાં હોસ્પીટલને વ્યવસ્થિત રીતે ચલાવવા અને નિભાવવાની પૂરતી આવડત ન હોવાથી શરૂઆતથી જ ખાનગીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે.

SVP હોસ્પીટલમાં એપોલો ફાર્મસીને પણ દવા ના વેચાણ માટે જગ્યા આપવામાં આવી છે. દર્દીઓ અને તેમના સ્વજનોની સૌથી વધુ ફરીયાદ એપોલો ફાર્મસી સામે જ છે. એપોલોમાં બજાર કરતા દવા ના ભાવ વધુ લેવામાં આવે છે. તથા દવાની ખરીદી માટે ઓછામાં ઓછા એક કલાક લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે.

એપોલો ફાર્મસી દ્વારા બિન અનુભવી સ્ટાફ રાખવામાં આવ્યો હોવાથી દર્દીના સ્વજનો પરેશાન થઈ જાય છે. બજારમાં જે કિંમતે દવા મળે છે.તેના કરતા ૩૦થી૪૦ ટકા વધુ ભાવ એપોલો ફાર્મસીવાળા લઈ રહયા છે. એપોલો ફાર્મસી સામે મા કાર્ડના દર્દીઓ સાથે છેતરપિડી કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે માં કાર્ડના દર્દીઓની છેતરપીડીના કૌભાડ મામલે એપોલો ફાર્મસી શંકાના દાયરામા આવી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં તબીબી દ્વારા મા કાર્ડ દર્દીને જે દવાઓ લખી આપવામા આવે છે.

તેના કરતા લગભગ ડબલ દવા / રકમ ના બીલ એપોલો ફાર્મસી દ્વારા હોસ્પિટલમાં  સબમિટ કરવામા આવી રહ્યા છે કેટલાક કિસ્સામાં ઓછી દવા આપીને પુરી રકમના બીલ પણ રજૂ કરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે આ મામલે હોસ્પિટલમાં સત્તાવાળાઓ સમક્ષ લગભગ સાત થી આઠ જેટલી ફરીયાદો આવી છે તેથી હોસ્પિટલમાંના મેનેજમેન્ટે મા કાર્ડ સિવાયના દર્દીઓને પણ એપોલો ફાર્મસી દ્વારા આપાવમા આવતી દવા અને બિલ રકમની ઝીણવટ પૂર્વક ચકાસણી કરવા નિર્ણય કરવામા આવ્યો છે તેમજ મા કાર્ડ દર્દીઓ સાથે થયેલ કથિત છેતરપિડી મામલે એપોલો ફાર્મસીને પેનલ્ટી કરવા માટે પણ વિચાણા ચાલી રહી છે.

જા કે, એપોલો ફાર્મસી દ્વારા હજી સુધી બીલ રજુ કરવામાં આવ્યા નથી. સદ્દર સંસ્થાને પણ મોટી પેનલ્ટી કરવામાં આવશે તે બાબત નિશ્ચિત છે. એપોલો ફાર્મસી દ્વારા મા કાર્ડના દર્દીઓ સાથે થતી છેતરપીડી મુદ્દે એસવીપીના સુપરીટેન્ડર સંદિપ મલહાનનો સંપર્ક કરતા તેમને સમગ્ર મુદ્દે હાથ ઉચા કર્યા હતા તથા ફાર્મસી સહિતની તમામ બાબતો નું દેખરેખ સીઈઓ રાખી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ જ્યારે અન્ય અધિકારીઓએ આ બાબતને સમર્થન આપી રહ્યા છે પરતુ તપાસ ચાલી રહી હોવાથી દર્દીઓના નામ જાહેર કરવા અસમર્થ હોવાનું જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પીટલમાં “મેન પાવર” સપ્લાય માટે ડીસેમ્બર ર૦૧૮થી જ આઉટ-સોર્સીગ કરવામાં આવ્યું છે. મેડીકલ એજયુકેશન ટ્રસ્ટના મહાનુભાવોએ “યુડીએસ” નામની કંપનીને તમામ પ્રકારનો સ્ટાફ પુરો પાડવા માટે કોન્ટ્રાકટ આપ્યો છે. જેમાં નર્સીગ સ્ટાફ તથા ટેકનીકલ સ્ટાફનો પણ સમાવેશ થઈ જાય છે. સુત્રોના જણાવ્યા મુજબ સદ્દર કંપની ડીસેમ્બર-ર૦૧૮થી “મેન પાવર” સપ્લાય કરી રહી છે.

હોસ્પીટલ સત્તાવાળા દ્વારા જે સ્ટાફની ડીમાન્ડ કરવામાં આવે છે. તેના કરતા ઓછી સંખ્યા કે બિન-અનુભવી કર્મચારીઓ આપવામાં આવે છે. જેના કારણે હોસ્પીટલ સત્તાવાળા તથા કોન્ટ્રાકટરના માણસો વચ્ચે રોજ ઘર્ષણ થાય છે. યુડીએસ કંપનીએ સાત મહીના બાદ પ્રથમ બીલ (ડીસેમ્બર-ર૦૧૮)નું રજુ કર્યું છે. તેની સામે હોસ્પીટલ મેનેજમેન્ટને રૂ.૪૦ લાખ પેનલ્ટી પેટે લેવાના થાય છે.
તેથી બીલ સામે પેમેન્ટ કરવામાં આવ્યું નથી. મેટ અને કોન્ટ્રાકટર વચ્ચે થયેલ એમઓયુમાં પેનલ્ટી ની ખાસ શરતો રાખવામાં આવી છે. જેમાં ડીમાન્ડ કરતા ઓછો સ્ટાફ મોકલવામાં આવે તો કર્મચારી દીઠ દૈનિક રૂ.એક હજારની તથા બીલ રકમના પ ટકા લેવાના રહે છે. SVP વહીવટકર્તાઓ દ્વારા સદ્દર શરત મુજબ રૂ.૪૦ લાખની પેનલ્ટી કરવામાં આવી છે.


ડીસેમ્બર મહીનામાં હોસ્પીટલ કાર્યરત થઈ ન હોવાથી પેનલ્ટી કરવામાં ન આવે તેવો બચાવ કોન્ટ્રાકટર કરી રહયા છે. જે અંગે મ્યુનિ. કમીશ્નર અંતિમ નિર્ણય કરશે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂ ૭૫૦ કરોડના ખર્ચથી બનાવામાં આવેલ એસવીપી હોસ્પિટલમાં બાધકામની પણ પોલ જાહેર થઈ ગઈ છે સામાન્ય વરસાદમાં પણ ઓપરેશન થિયેટરમા પણ પાણી લીકેજ થવા, સીલીગ તુટી પડવી, દર્દીઓના સંબંધીઓને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવી, સેલરમાં પાણી ભરાવા, વોર્ડ કે ટોયલેટના દરવાજા બરાબર બંધ ન થવા, ત્રણ-ત્રણ એ.સી.પ્લાન્ટ હોવા છતાં માત્ર એક જ પ્લાન્ટ ચલાવવો જેવી અનેક ફરિયાદો વારવાર બહાર આવી રહી છે

SVP હોસ્પીટલમાં સફાઈ માટે માસિક રૂ.રપ લાખ ચુકવવામાં આવે છે. પરંતુ સફાઈના નામે શૂન્ય છે. આ તમામ મુદ્દે મ્યુનિ. કમીશ્નર અને હોસ્પીટલના આસી.કમીશ્નર સમક્ષ ફરીયાદો થઈ રહી છે. પરંતુ હજી સુધી કોઈજ નક્કકર કાર્યવાહી કરવામાં આવી નથી મ્યુનિ.શાસકો અને કમિશનરને માત્ર પસિદ્ધિ મેળવામાંજ રસ છે પ્રજાને થતી હાલાકી કે પ્રજાના પરસેવાની કમાણીના થઈ રહેલ વ્યય ને રોકવામાં કોઈ જ રસ નથી તેવી ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.