Western Times News

Gujarati News

વાયુસેનાનું મિગ-૨૧ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ શહીદ

નવી દિલ્હી,  ભારતીય વાયુસેનાનુ વધુ એક મિગ-૨૧ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે અને વધુ એક જાંબાઝ પાયલોટે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે મધ્ય ભારતના એક એરબેઝ પરથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભર્યા બાદ મિગ-૨૧ વિમાન ક્રેશ થયુ હતુ અને તેમાં ગ્રૂપ કેપ્ટન એ ગુપ્તા શહીદ થયા છે.

વાયુસેનાએ દુર્ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધો છે. ભારતીય વાયુસેના માટે મિગ-૨૧ ક્રેશ થવાની ઘટના નવી નથી.આ પહેલા પણ ડઝનબંધ મિગ વિમાનો ક્રેશ થઈ ચુક્યા છે.

વાયુસેના આ દુર્ઘટના બાદ કહ્યુ હતુ કે, ભારતીય વાયુસેના ગ્રૂપ કેપ્ટન એ ગુપ્તાના પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે અને તેમના શહીદ થવા પર વાયુસેના સંવેદના વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનામાં મિગ -૨૧ વિમાનો ૧૯૬૧માં સામેલ કરાયા હતા.

લાંબો સમય સુધી વાયુસેના માટે કરોડરજ્જુ બની રહેલા આ વિમાનો જેમ જેમ જુના થઈ રહ્યા છે તેમ તેમ તેના તુટી પડવાની ઘટનાઓ વધી રહી છે પણ વિમાનોની ખોટ અનુભવી રહેલી વાયુસેના માટે આ મિગ-૨૧ વિમાનોને એક સાથે રિટાયર કરવુ શક્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.