Western Times News

Gujarati News

ઝારખંડમાં વૃદ્ધ રસી લેવા દસ કિમી ચાલતા ગયા, રસી લીધા બાદ મોત

Files Photo

રાંચી: શહેરોમાં તો લોકોને કોરોનાની રસી પોતાના ઘરની નજીકના જ સેન્ટરમાં અપાઈ રહી છે, પરંતુ અંતરિયાળ ગામોમાં સ્થિતિ કંઈક અલગ જ છે. ઝારખંડમાં બનેલા એક કેસમાં રસી લેવા માટે ૧૦ કિમી ચાલીને વેક્સિનેશન સેન્ટર પર પહોંચેલા એક વૃદ્ધનું વેક્સિન લીધાના કલાકોમાં જ મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

સિમદેગા જિલ્લાની આ ઘટનામાં જેતુ રે કોટવાર (ઉં. ૬૦ વર્ષ) નામના વૃદ્ધ શુક્રવારે વેક્સિન લેવા માટે પોતાના ગામથી ૧૦ કિમી દૂર આવેલા વેક્સિનેશન સેન્ટર પર ચાલતા પહોંચ્યા હતા. તેમને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવ્યો હતો. જાેકે, રસી લીધા બાદ તેમના શરીરમાં કોમ્પ્લિકેશન ઉભા થતાં તેમને રાંચીની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

જિલ્લાના સિવિલ સર્જન ડૉ. પી.કે. સિન્હાએ આ અંગે જણાવ્યું હતું કે રસીને કારણે વૃદ્ધનું મોત થયું છે કે કેમ તે હાલ કહેવું મુશ્કેલ છે. મૃતકને શુક્રવારે સવારે ૧૧.૪૦ કલાકે ડોઝ આપવામાં આવ્યો હતો. જાેકે, તેના થોડા જ સમયમાં તેમની તબિયત લથડતાં તેમને પહેલા સદર હોસ્પિટલ લઈ જવાયા હતા, અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપી રાંચી લઈ જવામાં આવ્યા હતા. મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે, તેના માતાપિતા બંને ૧૦ કિલોમીટર ચાલીને વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. જાેકે, રસી લીધાની મિનિટોમાં જ તેઓ બીમાર પડી ગયા હતા. વેક્સિનેશન સેન્ટરના અધિકારીઓના જણાવ્યા
અનુસાર, પેશન્ટને ડોઝ લીધાની મિનિટોમાં જ ઉલ્ટી થવા લાગી હતી, અને તેમને સિમદેગા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

પેશન્ટની સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને રાંચી લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મોત થયું હતું. તેમનું ત્યાં જ પીએમ કરવામાં આવ્યું હતું. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શશી નિલિમાએ આ મામલે જણાવ્યું હતું કે, દર્દીને રસી અપાઈ તેના ૧૦ મિનિટમાં જ તેઓ બેભાન થઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.